SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઇન્દ્રિયો પર વિજય મેળવનાર સાધક અંતર્મુખ હોય છે, તેથી તે બાહ્ય ઉપાધિઓનો ત્યાગ કરતો જાય છે. 'ત્યાગ-અષ્ટક' માં ઉપાધ્યાયજી જણાવે છે કે, સાધક પોતાના સાંસારિક કુટુંબને ત્યજીને આધ્યાત્મિક ગુણોરૂપ કુટુંબમાં રમમાણ બને છે. સાધક વ્યક્તિ ક્રમશઃ કુટુંબને ત્યજે છે, ગુણોને ત્યજે છે, આગળ વધતાં તે ગુરુ અને આચારનો પણ ત્યાગ કરીને નિર્વિકલ્પ સમાધિની અવસ્થા પામી શકે છે. "" : બધું ત્યજવાની વાત કરીએ તો સાધકે કાંઇ નહીં કરવાનું? ના, તેમ નથી. સાધક માટે માત્ર જ્ઞાન પર્યાપ્ત નથી, પરંતુ જ્ઞાનને અનુરૂપ ક્રિયા પણ જરૂરી છે આ વાત ક્રિયાઅષ્ટક' માં ભારપૂર્વક રજૂ થઇ છે. તેઓ સ્પષ્ટ રીતે જણાવે છે માર્ગનો જાણકાર પણ ચાલ્યા વગર ઇચ્છિત સ્થાને પહોંચતો નથી”. (૯/૨) ધ્યેય સુધી પહોંચવા માટે માર્ગનું જ્ઞાન જેટલું જરૂરી છે, તેટલી જ જરૂરી ચાલવાની ક્રિયા પણ છે. સાધકના પોતાના ગુણોની વૃદ્ધિ માટે અને તે જે સ્થાને પહોંચ્યો હોય ત્યાંથી પતિત ન થવાય તે માટે ગુણીજનોનું બહુમાન, વ્રતાદિનું નિત્યસ્મરણ તથા આચરણ, શુભ ભાવને ઉત્પન્ન કરવો અને ટકાવવો વગેરે ક્રિયાઓ જરૂરી છે. અંતર્મુખી સાધક જરૂરી ક્રિયાઓ કરીને ધ્યેયની નજીક પહોંચવાનો સતત પ્રયત કરે ત્યારે સાધકને સાચી આંતિરક તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તે વાત 'તૃપ્તિ-અષ્ટક' માં રજૂ થઇ છે. સુંદર જમણ જમીને જે ઉદરની તૃપ્તિ થાય છે તે ક્ષણિક છે, પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર જેવા ગુણોથી જે તૃપ્તિ જ્ઞાનીને થાય છે તે અવિનશ્વર છે. સંસારમાં તો ઘણી વખત સ્વપ્રવત્ જૂઠી તૃપ્તિનો અનુભવ પણ થાય છે, જ્યારે સમ્યગ્-દૃષ્ટિવાન સાધકને તો કાયમી અને સાચી તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આવશ્યક ક્રિયાઓ કરીને તૃપ્ત થયેલ સાધક જળકમળવત્ જીવન જીવતો હોય છે તે વાત ‘નિર્લેપ-અષ્ટક' માં કરવામાં આવી છે. સંસારમાં જીવવા છતાં સાધક અલિપ્તતા કેળવી શકે તો કર્મમળથી લેપાતો નથી. આવી નિર્લેપતા ધરાવનારને જીવનમાં ભૌતિક, પૌદ્ગલિક બાબતો અંગે કોઇ પણ જાતની સ્પૃહા હોતી નથી એ વાત ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ બારમા ‘નિઃસ્પૃહ-અષ્ટક' માં રજૂ કરી છે. બીજાની સ્પૃહા દુઃખરૂપ છે, નિઃસ્પૃહતા સાચું સુખ છે એમ કહીને સુખ અને દુઃખનું લક્ષણ સંક્ષેપમાં પણ સચોટ રીતે રજૂ કર્યું છે. આ નિઃસ્પૃહતાની પરાકાષ્ઠાએ વાણીની પણ સ્પૃહા રહેતી નથી, એટલે તે મૌન બનીને જ્ઞાન-ધ્યાન-સાધનામાં જ મસ્ત રહે છે, એ વાત ‘મૌન-અષ્ટક' માં કરવામાં આવી છે. મૌન એટલે અહીંયાં માત્ર વાણીના મૌનની વાત નથી, પણ ‘સાધકની મન-વચન-કાયાથી પુદ્ગલમાત્રમાં અપ્રવૃત્તિ' (૧૩/૭) એવો વિશાળ અર્થ રજૂ થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy