SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩ પ્રાપ્ત કરવા માટે સાધનરૂપ કયા કયા ગુણો આવશ્યક છે? તે વાત હવેનાં અષ્ટકોમાં સામાન્ય માણસ સમજી શકે તે રીતે સરળતાથી રજૂ થઈ છે. પૂર્ણતા મેળવવા માટે વ્યક્તિ અંતર્મુખી હોય તે સૌથી આવશ્યક બાબત છે. અંતર્મુખી વ્યક્તિ પોતે જે કાંઈ કરે છે તેમાં સંપૂર્ણ મગ્ન થઈ જાય છે, એકાગ્ર બની જાય છે તે વાત નગ્નતા-અષ્ટક”માં ઉપાધ્યાયજીએ રજૂ કરી છે. મગ્ન વ્યક્તિ ઇંદ્રિયોને પોતપોતાના વિષયોમાંથી ખેંચીને ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાના મનને એકાગ્ર કરે છે. આ વ્યક્તિ જે કાંઈ કરે છે, તે કર્તાભાવે નહીં, પણ માત્ર સાક્ષીભાવે જ કરે છે. વ્યક્તિ આવી અગ્રતા ધારણ કરે ત્યારે તે અનેકાગ્ર અને ચંચળ ન હોય, પણ સ્થિર જ હોય આ વાત ત્રીજા સ્થિરતા-અષ્ટક' માં સમજાવીને જણાવ્યું છે કે અસ્થિર વ્યક્તિ પોતાના લક્ષ્યમાં એકાગ્ર બની શકે નહીં. માણસ અસ્થિર શા માટે બને છે ? તેનો ટૂંકો જવાબ આપતાં ચોથા મોહ-અષ્ટક' માં જણાવ્યું છે : “હું” અને “મારું' આ મોહનો મંત્ર જગતને અંધ કરનાર છે. (૪/૧) જે વ્યક્તિ “હું” અને “મારું' આ ભાવને ત્યજીને “હું નિજ સત્તારૂપે રહેલ શુદ્ધ આત્મદ્રવ્ય છું' એવું નિશ્ચંતપણે અનુભવે છે તે વ્યક્તિ ક્યારેય મોહમાં ફસાતી નથી. મારાપણાના મોહથી યુક્ત વ્યક્તિ આત્મામાં ઉપાધિનું ખોટી રીતે આરોપણ કરે છે, તેથી તે આત્માની નિર્મળતાનો અનુભવ કરી શકતી નથી. વ્યક્તિની મોહદશા માટે તેનું અજ્ઞાન કારણભૂત છે. જો આ અજ્ઞાન દૂર કરીને જ્ઞાનપ્રાપ્તિ કરવામાં આવે તો સાધક પોતાના સાધનામાર્ગમાં જરૂર આગળ વધી શકે – આ વાત “જ્ઞાનઅષ્ટક' માં કરવામાં આવી છે. સાધનાના અંતિમ ધ્યેય પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે જે જ્ઞાન જરૂરી છે તે જ્ઞાન આત્માને તેના શુદ્ધ સ્વરૂપની સ્પષ્ટ અને નિર્ભીત અનુભૂતિ કરાવી આપે તે પ્રકારનું હોવું જરૂરી છે. તેઓ જણાવે છે : “જે જ્ઞાન આત્મસ્વભાવની પ્રાપ્તિના સંસ્કારનું કારણ બની શકે તે જ જ્ઞાન ઇચ્છિત છે.” (૫/૩). સાચો જ્ઞાનવાન પુરુષ જીવનમાં હરહંમેશ સમભાવ જ ધરાવે છે. આ સમભાવ કે સમતાની વાત કરતાં છઠ્ઠા “શમ-અષ્ટક’ માં કહેવામાં આવ્યું છે કે, બીજા અનેક ગુણો હોય પણ સમતા ન હોય તો બધા ગુણો એકડા વગરના મીંડા જેવા બની જાય છે. આ શમ કે સમતા મેળવવા માટે ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો જરૂરી છે તે વાત લઇને આવે છે “ઇન્દ્રિયજય-અષ્ટક' જેમ સમુદ્રમાં ગમે તેટલી નદીઓ ઠલવાય તો પણ સમુદ્ર પુરાતો નથી તેમ ઇન્દ્રિય પોતે ગમે તેટલો ઉપભોગ ભોગવે તો પણ તે સંતોષાતી નથી. સાધકે બહિર્મુખતા છોડીને અંતર્મુખ થવું જરૂરી છે, કારણ કે સાચું જ્ઞાનરૂપ ધન તો આત્માની પોતાની અંદર જ પડેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy