SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ર જ્ઞાનસાર “જ્ઞાનસાર'માં અનુભૂતિની વાણી છે. સાધકને માટે ઉપાધ્યાયજી આત્મિક આનંદની અનુભૂતિ, પૂર્ણાનંદની પ્રાપ્તિ સુધી પહોંચવાનું લક્ષ્ય રજૂ કરે છે. “જ્ઞાનસાર' નાં બત્રીસ અષ્ટકોમાં પહેલું અષ્ટક છે “પૂર્ણતા-અષ્ટક'. આ પ્રથમ અષ્ટકમાં માનવજીવનના ધ્યેય તરીકે, summum bonum, તરીકે, સાધનામાર્ગના લક્ષ્યબિંદુ (સાધ્ય) તરીકે કે પછી યાત્રામાર્ગના શિખર તરીકે પૂર્ણતાની વાત રજૂ કરીને બાકીનાં અષ્ટકો તે ધ્યેયને પ્રાપ્ત કરવાનાં સોપાનોરૂપે, સાધનરૂપે વર્ણવેલ છે. સાધક વ્યક્તિમાં કે મુનિમાં કયા કયા ગુણો હોય તો તે પૂર્ણતાના શિખરે પહોંચી શકે તે પ્રશ્નનો જવાબ બાકીનાં એકત્રીસ અષ્ટકોમાંથી મળે છે. ચૂલિકાના પહેલા ચાર શ્લોકમાં ઉપાધ્યાયજીએ પોતે યોગીના કે મુનિના ગુણોરૂપે આ બત્રીસ અષ્ટકોના નામનો ક્રમ નોંધ્યો છે. સાધકને તેઓ એ દર્શાવવા માગે છે કે જો તેણે સાધનાના યાત્રામાર્ગે આગળ વધવું હોય તો તેનામાં આ અષ્ટકોના નામરૂપે વર્ણવ્યા તે સ્થિરતા, મગ્નતા, વિદ્યા, વિવેક વગેરે ગુણો હોય તે જરૂરી છે. જુદાં જુદાં મોતીને એક દોરામાં પરોવીએ તો એક માળા બને તેમ સાધનામાર્ગના દોરામાં પરોવાઇને અહીં બત્રીસ મોતીની આ એક સુંદર માળા બને છે. માળા તરીકે તો તે મૂલ્યવાન છે જ, સાથે સાથે એક એક અષ્ટક પણ સ્વતંત્ર મોતી અર્થાત્ મુક્તકની જેમ પાણીદાર અને મૂલ્યવાન છે. બત્રીસ અષ્ટકોનું વિહંગાવલોકન સત્, ચિત્, આનંદરૂપ આત્મા પોતે મૂળભૂત સ્વરૂપે પૂર્ણ હોવાથી સમગ્ર જગતને પણ તે પૂર્ણ જ જુએ છે એ વાત પહેલા “પૂર્ણતા-અષ્ટકના શ્લોકાર્ધમાં મૂકીને (૧/૧) પૂર્ણતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે ઉછીના ધનથી ક્યારેય પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે નહીં. (૧/૨, ૧૮/૫) પૂર્ણાત્મા જ્ઞાની પુરુષની દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પૂર્ણતા-સ્વયં પ્રકાશિત રત્નની જેમ સ્વભાવસિદ્ધ છે, સ્થિર સમુદ્રની જેમ પ્રશાંત છે. પરિસ્થિતિ એ છે કે પૂર્ણતા એ આત્માની સ્વાભાવિક અવસ્થા હોવા છતાં અજ્ઞાન, કષાયો વગેરેના કારણે આપણને આ પૂર્ણતાનો અનુભવ અત્યારે થતો નથી. આત્માના સ્વાભાવિક એવા આ પૂર્ણતા ગુણનો અનુભવ આપણને કેવી રીતે થાય? અથવા તો પૂર્ણતારૂપી સાધ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy