SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ ક્યો હતો તે આપવાનો આશય જ અહીં મુખ્ય છે એટલે અર્થ માત્ર બાલાવબોધ જેટલો જ અપાયેલ છે. - આ કામ માટે હસ્તપ્રતોની નકલ મેળવવામાં મને સ્વ.પૂ.લક્ષ્મણભાઈ, પ.પૂ.આ.મ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી, પ.પૂ.આ.મ.શ્રી શીલચંદ્રસૂરિજી વગેરેએ ઘણી મદદ કરી છે. અમુક હસ્તપ્રતો તો તેમની મદદ વગર મળી જ ન શકત. હસ્તપ્રતની નકલ મેળવવામાં સંમતિ જલદી ન મળે, સંમતિ મળે તો નકલ મળતાં ઘણો સમય પસાર થઈ જાય, નકલ મળે તો ચોકસાઇના અભાવે આગળ-પાછળ કે વચ્ચેનાં અમુક પાનાંની નકલ (ઝેરોક્ષ) રહી જાયવગેરે અનુભવોમાંથી પણ પસાર થવાનું બન્યું. આપણા શ્રતને લખવામાં, સાચવવામાં ઘણા ગુરુભગવંતો અને શ્રાવકોએ ભોગ આપ્યો છે અને આપણો આ અમર વારસો જળવાય, તેમ જ જરૂર પડે ત્યાં ઉપયોગમાં પણ લઇ શકાય તે જોવાની આપણા સૌની ફરજ પણ છે. પરિશિષ્ટમાં કેટલાક શ્લોકો વિષે વધારાની નોંધો રજૂ કરી છે, જે મૂળ કૃતિને સમજવામાં ઉપયોગી નીવડશે તેવી આશા છે. શબ્દોકોશમાં ક્યારેક સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ નોંધવામાં આવ્યા છે, ક્યાંક ક્યાંક મધ્યકાલીન ગુજરાતી ભાષાનો અર્થ વર્તમાન ગુજરાતી ભાષામાં આપ્યો છે. ઉપાધ્યાયજીની ભાષામાં લઢણ તે સમયે બોલાતી ભાષાની છે, ક્યાંક રાજસ્થાની કે હિંદીની છાંટ વાળી છે. અગાધ દાર્શનિક જ્ઞાન , નવ્યન્યાયની સચોટ શૈલી, શાસ્ત્રના અનેક આધારો, અનુભૂતિની વાણી અને અમુક બાબતો અધ્યાહાર રહે તે રીતની ટૂંકી–સૂત્રાત્મક રજૂઆત-એટલે તેમણે આપેલા અર્થોને પકડવા સહેલા નથી. અમુક અષ્ટકો (દા.ત. ૩ –સ્થિરતા, ૪ –મોહાષ્ટક, ૭ –ઇદ્રિયજય, ૧૮ –અનાત્મશંસા, ૧૯ –તત્ત્વદૃષ્ટિ, ૨૧ –કર્મવિપાક) સમજવામાં પ્રમાણમાં સરળ, તો અમુક અષ્ટકો (દા.ત. ૧ –પૂર્ણતા, ૧૧ –નિર્લેપ, ૧૫ –વિવેક, ૨૭ –યોગ, ૨૮ –-નિયાગ વગેરે) ઘણાં ગૂઢ. તે જ રીતે અમુક શ્લોકો (દા.ત. ૩/૧, ૩/૨, ૫/૧, ૭/૧, ૧૯/૧, ૨૧/૧, ૩૧/૩ વગેરે) સમજવા સરળ, તો અમુક શ્લોકો (દા.ત. ૧/૫, ૩/૮, ૬/ ૩, ૧૧/૪, ૧૪/૮, ૧૬/૩, ૨૮/૩ વગેરે) અર્થ પકડવામાં ખૂબ દુર્બોધ. ઘણા શ્લોકમાં પોતાની વાત રજૂ કરતાં “અતUવ,' “રત્નો વિશેષ,” “ વિશેષ,' જેવા શબ્દો મૂકીને પોતાની વાત એકાદ-બે નાનાં વાક્યોમાં સૂત્રાત્મક રીતે મૂકી છે. લાક્ષણિક રજૂઆતની આ શૈલી તેમની વિશેષ ઓળખ બની રહે છે. “જ્ઞાનસાર'માં રજૂ થયેલ વિચારણાનો સામાન્ય ખ્યાલ આવે તે માટે “જ્ઞાનસાર’નો પ્રારંભિક પરિચય અન્યત્ર આપવામાં આવેલ છે. આ કાર્ય દરમ્યાન મારાથી જિનાજ્ઞા વિરુદ્ધ કોઇપણ પ્રકારનું આચરણ થઈ ગયું હોય તો તે બદલ અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્. – માલતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy