SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા છે. (દા.ત. ૧૩/૪માં “રત્નસંયોગ' શબ્દ.) અવતરણો લખવાના ગોટાળા ઘણી જગ્યાએ જણાયા છે. કાં તો અડધું લખાણ એક જગ્યાએ, અડધું બીજી જગ્યાએ. વળી કોઈક પ્રત અમુક અવતરણ જે શ્લોક સાથે આપે તેના બદલે બીજી પ્રત તે જ અવતરણ અન્ય શ્લોક સાથે આપે. (દા. ૧૪/૫) આવા સંજોગોમાં મૂળ શ્લોકના અર્થને વિચારીને નિર્ણય કરાયો છે. ટિપ્પણમાં ક્યાંક ક્યાંક આવી વિગતો જે તે જગ્યાએ નોંધી છે. હસ્તપ્રતોનાં લખાણનું લિવ્યંતર કરતી વખતે પ્રતોમાં આંકડા અંકમાં છે તે અહીયાં શબ્દોમાં લીધા છે. (દા.ત. ૨=બે) તે રીતે અમુક શબ્દોનું વાંચન નીચેની રીતે કર્યું છે. જરૂર પડે ત્યાં જ આવા ફેરફારો કર્યા છે. ૧. ૨ નો સ્ત્ર (દા.ત. ૨૨/૩ ), ૨. ર નો ત (દા.ત.૧/૪ ના તિ), ૩. # નું #g (દા.ત. ૨૪/૬ #g), ૪. પ નો પ (દા.ત. ૧/૪ ), ૫. ત્ર નો ૨ (દા.ત. ર૬/ ત્વના ), ૬. વ નો વે (દા.ત. ૨૮/ર વિનૈઃ), ૭. સ્ત્ર નો ર્વ (દા.ત. રૂર/રૂ સર્વ), ૮. સો નું ય (દા.ત. ધૂ. ) વગેરે. બાલાવબોધ લખતી વખતે મૂળ સંસ્કૃત શબ્દોના વિભક્તિ પ્રત્યયો ઘણી જગ્યાએ રહી ગયા છે અથવા ખોટા લખાયા છે. પણ તેને સુધારવાનો પ્રયત્ન કર્યો નથી. તેવા શબ્દો જેમ છે તેમ જ રાખ્યા છે. ક્યાંક કોઇક અક્ષર ખૂટતો હોય તો તે [ મોટા કૌસમાં ઉમેર્યો છે અથવા અનિવાર્ય હોય ત્યાં અક્ષર જ્યાં સુધાર્યો છે ત્યાં () નાના કસનો ઉપયોગ કર્યો છે. ગુરુ-શિષ્ય પરંપરામાં જ્ઞાન આપતી વખતે ચૂર્ણિ, નિર્યુક્તિ, ભાષ્ય વગેરેની રચનામાં ગુરુ શિષ્યને ભણાવતા તે વખતે શિષ્યો જે નોંધ કરતા તેમાં વ્યાકરણની રીતે શુદ્ધતા થોડીક ઓછી હોય તોય ચાલે તેવી પરંપરા હતી. બાલાવબોધ લખતી વખતે શ્લોકના અન્વય (વાક્યરચના)ના ક્રમમાં શબ્દોના અર્થો લખાતા હોતા નથી. જે તે સંસ્કૃત શબ્દોનો અર્થ જે તે શબ્દની ઉપર લખવામાં આવે છે, એટલે અન્વય આપણે બેસાડવો પડે છે. વળી લહિયાઓ દ્વારા પ્રતમાં ક્યારેક લખાણ ડાબે, જમણે, ઉપર કે નીચે - જ્યાં જગ્યા મળે ત્યાં લખાયું હોય છે. તેવા સમયે અનુસંધાન આપણે મેળવવું પડે છે. આવા નિર્ણયો લેવામાં ક્યાંક ભૂલ થવાનો સંભવ પણ છે. સંસ્કૃતમાં મૂળ શ્લોક, તે પછી બાલાવબોધ અને ત્યાર બાદ આજની ગુજરાતી ભાષામાં અર્થ અને છેલ્લે ટિપ્પણમાં પાઠભેદો – આ ક્રમમાં બધા શ્લોકોની રજૂઆત કરી છે. આમાં જે વર્તમાન ગુજરાતીમાં અર્થ લખવામાં આવ્યો છે, તેમાં મૂળ બાલાવબોધના ભાવને જ વ્યક્ત કરવાનો આશય છે. બાલાવબોધથી વધારે કે ઓછુ નહીં, પણ બાલાવબોધને સમજવામાં આધારભૂત બની રહે તે રીતે જ આ અર્થ રજૂ કર્યો છે. અર્થમાં મોટાભાગે સમાનાર્થી શબ્દો માટે ()નાનો કસ અને બાલાવબોધ સિવાય વધારાના શબ્દો માટે [] મોટો કસ વાપર્યો છે. “જ્ઞાનસાર' ઉપર વિવેચન કરતા ગ્રંથો તો ઘણા લખાયા છે, પણ મૂળ ઉપાધ્યાયજીનો શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy