SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ નં. 7 વિ.સં. ૧૮૭૮ | લહિયા : પં. રૂપવિજયગણિ | પત્ર - ૬૩ | ગ્રંથભંડાર : રાધનપુર જૈન શાળા જ્ઞાનભંડાર | (નં. ૪૧૨, ડા. નં. ૨૪) નં. 8 સંવત નથી (આશરે ૧૮મો સૈકો) | લહિયા : નામ નથી | પત્ર - ૪૪ | ગ્રંથ ભંડાર : મહાવીર જૈન આરાધના કેન્દ્ર - કોબા | (નં. ૩૫૨૭) નં. ૭ વિ.સં. ૧૯૨૩ | લહિયા ઃ વિજયવૃદ્ધશાખા, મુ. ખુશાલવિજયજી | પત્ર - પ/ ગ્રંથભંડાર : શ્રી જૈન જ્ઞાનમંદિર - વડોદરા., (મુનિ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ (નં. ર૬૬૬) નં. 10 વિ.સં. ૧૯૬૧ | લહિયા : વણિગ વેલજી ભારમલ ( પત્ર ૪૬ / ગ્રંથભંડાર : શ્રી જૈન જ્ઞાનમંદિર, વડોદરા | (મુનિશ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ | નં. ૬૩૩) નં. 11 સાલ-સંવત, લહિયાનું નામ, ગ્રંથભંડારનું નામ વગેરે કાંઈ વિગત મળતી નથી. માત્ર “g.૪, પ્રા. ૬ મં” એમ છેલ્લે નોંધ છે. (સંભવતઃ ૨૦મો સૈકો) અગિયાર પ્રતોમાંથી પ્રત નં. ૩ ને સ્વ. શ્રી જયંતિભાઈ કોઠારી, સ્વ. શ્રી લક્ષ્મણભાઈ ભોજક વગેરે સાથેની વિચારણાને આધારે, મુખ્ય પ્રત તરીકે સ્વીકારીને આ કામ કર્યું છે. ૩ નંબરની પ્રતને આદર્શ પ્રત તરીકે લઈને તેની શૈલી પ્રમાણે બાલાવબોધ નોંધવામાં આવેલ છે. પાઠભેદ નોંધતી વખતે જ્યાં જ્યાં ૩નં.ની પ્રત સિવાયની કોઈ પ્રતનો પાઠ સ્વીકાર્ય જણાયો હોય તો તે પાઠ ઉપર રાખીને ૩ ની પ્રતનો પાઠ નીચે ટિપ્પણમાં રાખ્યો છે, જેથી વિચારવાને અવકાશ રહે. દસ પ્રતોમાંથી પાઠભેદ નોંધતી વખતે અનેક પાઠભેદોમાંથી દેખીતી રીતે જ ભાષાકીય અશુદ્ધિવાળા પાઠો છોડી દીધા છે. મૂળ શ્લોક કે બાલાવબોધના અગત્યના પાઠભેદો રાખ્યા છે. આ પાઠભેદોમાંથી અમુક પાઠભેદો શ્લોકના અર્થને સમજવામાં આપણને બીજા વિકલ્પો આપે છે, અમુક પાઠભેદો તે સમયની ગુજરાતી બોલીના નમૂના રજૂ કરે છે, અમુક પાઠભેદો કેવા પ્રકારની ભૂલો હસ્તપ્રતોમાં થાય છે તે દર્શાવે છે. હસ્તપ્રતોની કેટલીક વિશેષતા જોઈએ તો નંબર 1 અને 10ના અક્ષર ખૂબ જ મરોડદાર છે. 3 નંબરમાં લખાણમાં ચોકઠા પાડેલા હોય તેવી ડિઝાઈન જોવા મળે છે. નં. 6માં અવતરણો ખૂબ જ ઓછાં છે. નં. 3 અને નં. 10 ઘણી જગ્યાએ સરખા જ પાઠ આપે છે. તે જ રીતે ક્યાંક ક્યાંક 3 અને 8ના પાઠ પણ સરખા છે. નં. 1,4,5,7,11 એક કુળની લાગે છે. અમુક પાઠો લગભગ આ પ્રતોમાં એકસરખા છે, તો અમુક ભૂલો પણ સરખી છે. નં. 1 અને 6માં બાલાવબોધ લખતી વખતે મૂળ શ્લોકનો સંસ્કૃત શબ્દ લખ્યા વગર જ સીધો ગુજરાતી અર્થ આપવામાં આવેલ છે. નં. 2 અને નં. 6માંથી ક્યારેક વધુ સાચા પાઠ મળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy