________________
નિયતવાસ, સાધુએ જિનપૂજાદિ કરવાં, વિગય આહારમાં દોષ નથી. વ૦; મંદસંવેગી મુનિ શિથિલાચારનાં આલંબનો લે, તીવ્ર સંવેગી સંયત મુનિરાજનું આલંબન સ્વીકારે.
ઢાળ ચોથી (સળંગ ગાથા ૫૮થી ૭૬)
હીનાચારી મુનિ શુદ્ધાચારીનાં છિદ્રો શોધે; તેઓ ધર્મદેશનાનો વિરોધ કરે; પણ ધર્મદેશના કુમતિને ટાળે - સન્માર્ગને ચીંધે; ગીતાર્થની ધર્મદેશના ભવતારક, અગીતાર્થની વાણી ઉન્માર્ગ-પ્રરૂપક; હીનાચારીઓનો સ્તવન-સજ્ઝાયાદિ રચનાઓનો વિરોધ પણ મિથ્યા કેમકે ગ્રંથરચનાઓ શ્રુતસમુદ્રપ્રવેશમાં નાવ સમાન હોઈ શ્રુતની વૃદ્ધિ કરે; ગુરુ દેશના દ્વારા નિશ્ચયવાદી અને વ્યવહારવાદી બન્નેને સાચો ન્યાયમાર્ગ - સ્યાદ્વાદમાર્ગ દેખાડે.
ઢાળ પાંચમી (સળંગ ગાથા ૭૭થી ૯૯)
કેટલાક નિર્ગુણી છતાં પોતાને ગુણકારી માને; ગુરુ, ગીતાર્થ અને ગચ્છનો પ્રતિબંધ રાખનારા અજ્ઞાનગર્ત છે; ગુરુકુલવાસ વિના ચારિત્ર સંભવે નહીં; ગુરુકુલવાસના લાભ વિનય, શુશ્રુષા, જ્ઞાન, દર્શનની નિર્મલતા, ગુપ્તિસંવર્ધન, મુક્તિમાર્ગની
આરાધના.
ઢાળ છઠ્ઠી (સળંગ ગાથા ૧૦૦થી ૧૨૫)
જ્ઞાનસહિતની ક્રિયા લેખે લાગે; દ્રવ્ય-ક્ષેત્ર-કાલભાવને વિશે, પ્રાયશ્ચિત્તના વિકલ્પો વિશે અગીતાર્થનું અજ્ઞાન; પરિણામે જિનાજ્ઞાની વિરાધના; ઉત્સર્ગ-અપવાદનું અજ્ઞાન સંયમને ખંડિત કરે; ગીતાર્થથી અળગા રહેતા એકાકી મુનિ વિનયના
Jain Education International
For Private & Personal Use Only
૪૨
૫૪
૭૨
www.jainelibrary.org