SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ બાળજીવને ઉપકારી થાય છે. તો અધ્યાત્મ આદિ યોગગ્રંથોનો અભ્યાસ કરનાર - અધ્યાત્મમાં મગ્ન રહેનારને યોગીશ્વર કેમ ન કહેવા ? ઉચિત ક્રિયા નિજ શકતિ છાંડે, જે અતિ વેગે ચઢતો, તે ભવથિતિ પરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો. ધન્ય૩૦૯ [૧૫-૧૮) બા) વલી અધ્યાતમમાર્ગ પણિ પોતાની યથાશક્તિ ક્રિયા કરતો સાથે અને યથાશક્તિ ક્રિયા મૂકીને શક્તિ-ઉલંઘન કરે તો તેને ગુણ ન થાય તે કહે છે. પોતાની શક્તિ હોય તેટલી જ ક્રિયા કરવી એહનું નામ ઉચિત ક્રિયા કહીશું. તે તો ન કરે તથા જે અતિ વેગે ચઢતો ક0 શક્તિથી અધિક કરે એટલે એ ભાવ જે ઉપવાસ – શક્તિને અભાવે છઠ્ઠ કરે, આતાપના લેવા જાઈ ઈત્યાદિક કામ કરતો તે પ્રાણી પણ ભવથિતિ પરિપાક થયા વિના જ ગર્તામાં પડતાં દેખીશું છે. એટલે એ ભાવ : જે શક્તિઉલ્લંઘન કરીને અધિકું કરવા જાય પણ ભવસ્થિતિ પાકી નથી તિણે પરિણામ પડતા જ હોઇ, સુકમાલિકા પ્રમુખની પર્વે ઇતિ ભાવ. ૩૦૯ [૧૫-૧૮] સુ0 અધ્યાત્મમાર્ગ પણ યથાશક્તિ ક્રિયા કરીને જ સાધવો. શક્તિથી ઉપરવટ જઈને એમ કરે તો કાંઈ ગુણ ન કરે. શક્તિ પ્રમાણેની ક્રિયા કરવી તે જ ઉચિત કિયા છે. શક્તિથી અધિક કરવા જતો પ્રાણી ભવસ્થિતિનો પરિપાક થયા વિના જ સુકમાલિકા વ૦ની પેઠે ગતમાં જ પડતો દેખાય છે. માથે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા, શુદ્ધ પ્રરૂપણ ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટમાલા. ધન્ય૦ ૩૧૦ [૧૫-૧૯] બા) વલી જે મુનિ પોતાની મોટાઈમાં માચે ક0 રીઝ પામે, એટલે થોડી ક્રિયા પ્રમુખ આવડી હોય તેહમાં મગ્ન રહે જે “અચ્છે સમઝુમાં છું તથા વલી ડાકડમાલા ચલાવે એતલે લોકમાં આડંબર ઘણો દેખાડે પણ શુદ્ધ પ્રરૂપકના ગુણ વિના ન ઘટે. ક0 ઘટે નહી, ઉછી થાય નહીં. મ્યું ઓછી ન થાય તે કહે છે. તસ ક0 તેહના ભવ જે સંસાર તદ્રુપણિ ૫. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy