SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ પાસે વ્રત ગ્રહે ક૦ ગુરુ પાસે વ્રત અંગીકાર કરે. આણંદાદિકની પરે ઇત્વ૨ ચોમાસા પ્રમુખનાં અથવા યાવથિક જાવજીવના (૩) પાલે ક સમ્યફ્ પાલે તથા ઉપસર્ગાદિક જે આવે તે સર્વ સહે, કામદેવ શ્રાવકની પરે (૪). એ પ્રથમ ભેદ વખાણ્યો. ૨૪૦ [૧૨-૪] સુ૦ ૧લું લક્ષણ : કૃતવ્રતકર્મા : (૧) ગીતાર્થ પાસે વિનયબહુમાનપૂર્વક સર્વશાસ્ત્ર સાંભળે, (૨) વ્રતના ભેદ આદિ ઘણા અર્થે સમજે. (૩) ગુરુ પાસે વ્રત અંગીકાર કરે, પાળે અને (૪) ઉપસર્ગ આદિ જે આવે તે સર્વ કામદેવ શ્રાવકની પેઠે સહન કરે. સેવે આયતણાં ઉદ્દેશ, પરગૃહ ત્યજે અણુભડવેશે, વચન-વિકાર ત્યઅે શિશુલીલ, મધુર ભણે એ ષવિધ શીલ. ૨૪૧ [૧૨-૫] બાળ હવે બીજુ શીલવંત નામા લક્ષણ કહે છઇં. સેવે આયતણાં ક૦ સાધર્મિકને મિલવાનું સ્થાનક. યતઃ ' जत्थ साहम्मिया बहवे, सीलवंता बहुस्सुया । રિત્તાયારસંપન્ના, આયયાં તે વિયાળાહિ' // ? | [ધર્મરત્ન પ્ર., ગા.૩૮ની વૃત્તિ] તે ઉદ્દેશ ક૦ સ્થાનક સેવે પણ ભીલની પલ્લિ પ્રમુખ ન સેવે(૧). પરગૃહ તજે ક0 પારકા ઘરમાં પેસતો ન ફરે, કાંઇ વસ્તુ ખોવાય તિવારે તે ઉપર શંકા આવે. કારણની વાત જુદી છે.(૨) અનુભંડવેસ ક૦ ઉદ્ભટ વેશ ન પહેરે જેહથી લાંઢીઆ [=લાંઠ] આદમીમાં ગણાઇ, તે ન કરે (૩). વચન-વિકાર તજે ક૦ વિકારનાં વચન ન બોલે જેહથી રાગદ્વેષ વધે (૪). શિશુલીલ ક૦ બાલક્રીડા તજે, જુવટું રમવું ઇત્યાદિક (૫). મધુર ભણે ક0 મીઠું બોલે, કાર્ય પડે કે સૌમ્ય, કે સુંદર, આ કામ કરસ્યો ?’’ ઇમ કહે (૬). એ છ (૬) ભેદ શીલવંતના જાણવા. હવે એહ જ છ ભેદ વિસ્તારી દેખાડે છે.૨૪૧ [૧૨.૫] સુ૦ રજું લક્ષણ : શીલવંત ઃ (૧) સાધર્મિકને મળવાનું સ્થાનક સેવે, પણ ભીલની પલ્લિ આદિ ન સેવે, (૨) પારકા ઘરમાં પ્રવેશ તજે, પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy