SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ३७१ પોટ: f / શ્રી પ્રમોદવિજયજી મહારાજના પણ એક શિષ્ય થયા. बभूवुश्च त्रयः शिष्या, उद्योतविजयस्य च । श्रीवीरविजयस्यापि, त्रयः शिष्या मनोहराः ।। ४९।। વળી શ્રી ઉદ્યોતવિજયજી મહારાજના ત્રણ શિષ્યો થયા, તથા શ્રી વીરવિજયજી મહારાજના પણ ત્રણ મનોહર શિષ્યો થયા. રચંદ હતું. તેમણે સંવત ૧૯૩૫માં લુધીયાનામાં મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી અમીવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા મારવાડમાં આવેલા ચાણોદ નામે ગામના રહેવાસી હતા; તથા તેમનું નામ અમીચંદ હતું. તેમણે સંવત ૧૯૫૧માં મહારાજ શ્રી ચારિત્રવિજયજી પાસે જામનગરમાં દીક્ષા લીધી હતી. ૧. શ્રી પ્રમોદવિજયજી મહારાજના શિષ્યનું નામ શ્રી અમૃતવિજયજી છે. તે સંસારીપણામાં જ્ઞાતે દશા શ્રીમાળી વાણીઆ તથા કાઠિયાવાડમાં આવેલા ધ્રાંગધરા નામે શહેરના રહેવાસી હતા. વળી તેમનું નામ ફૂલચંદ હતું. તેમણે મહારાજ શ્રી પ્રમોદવિજયજી મહારાજ પાસે સંવત ૧૯૩૯માં લુધીયાનામાં દીક્ષા લીધી હતી. ૨. શ્રી ઉદ્યોતવિજયજી મહારાજના પહેલા શિષ્યનું નામ શ્રી વિનયવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે ઓશવાળ વાણીઆ તથા પંજાબમાં આવેલા મુદગી નામે ગામના રહેવાસી હતા; વળી તેમનું નામ દુનીચંદ હતું; તેમણે સંવત ૧૯૩૫માં લુધીયાનામાં મહારાજ શ્રી ઉદ્યોતવિજયજી પાસેથી દીક્ષા લીધી હતી. તેમના બીજા શિષ્યનું નામ શ્રી માણેકવિજયજી છે, તેમનું નામ મુરારિરિખ હતું તથા તે પંજાબમાં આવેલા ફગવાડા નામે ગામના રહેવાસી હતા. તેમણે સંવત ૧૯૩૭માં ગુજરાવાળા નામે ગામમાં મહારાજ શ્રી ઉદ્યોતવિજયજી પાસેથી દીક્ષા લીધી હતી. - તેમના ત્રીજા શિષ્યનું નામ શ્રી કપુરવિજયજી છે; તે સંસારીપણામાં જ્ઞાતે બ્રાહ્મણ તથા જંબુ નામે ગામના રહેવાસી હતા. તેમનું નામ કરમચંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy