SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશ મ: । ततः शिष्यो मुनीशस्य, बभूवास्य महोदयः । जैनमार्गैकचेतास्तु, श्रीजयविजयाह्वयः ।। १६ ॥ તે પછી આ મુનિરાજના મહાન ઉદયવાળા તથા જૈન માર્ગમાં એક ચિત્તવાળા શ્રીજયવિજયજી નામના શિષ્ય થયા. ततो वैराग्ययुक्तोऽभू, दमरविजयाभिधः । शिष्योऽमुष्य मुनींद्रस्य तत्त्वज्ञानपरायणः ॥ १७॥ વર્ષો સુધી અમૃતસરમાં પ્રમુખમાં વિહાર કરી વ્યાકરણાદિકનું તેમણે જ્ઞાન મેળવ્યું. ત્યારબાદ જયપુરમાં યતિ શ્રી હીરાચંદજી પાસે તેમણે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને જયપુરનિવાસી શ્રાવકોને તેમણે ધર્મોપદેશ કર્યો; તેથી ત્યાંના લોકોની ધર્મ પર ઘણી આસ્તા થઇ; તથા જૈન ધર્મની ઘણી ઉન્નતિ થઇ. ત્યારબાદ વિકાનેર, જોધપુર, પાલી વગેરે નગરોને પવિત્ર કરીને તથા આબુજી પ્રમુખની યાત્રા કરીને અમદાવાદ પધારી તેમણે વડી દીક્ષા લીધી. તથા ત્યાં તેમના ઉપદેશથી ઘણાં જૈન પુસ્તકોનો ઉદ્ધાર થયો, વળી એમના ઉપદેશથી સંવત ૧૯૪૬માં વડોદરાથી મોહોટા ઠાઠથી કેસરીયાજીનો સંઘ નીકળ્યો હતો; ઇત્યાદિ તેમના ઉપદેશથી ઉજમણા, અઠ્ઠાઇમહોત્સવ વગેરે ઘણાં ધર્મોન્નતિના કાર્યો થયાં છે. ત્યારબાદ પાલણપુર, આબુ તથા પાલી થઇને તેમણે અજમેરમાં ચતુર્માસ કર્યુ. ત્યારબાદ જયપુર, અલવર, દીલ્હી વગેરે સ્થાનકે થઇ હુશીયારપુરમાં પ્રતિષ્ઠામહોત્સવ ૫૨ તેઓ પધાર્યા. ત્યારબાદ તેમણે ત્રણ વર્ષો સુધી ગુજરાવાલા આદિક શહેરોમાં ચતુર્માસ કરીને પટ્ટીમાં ચતુર્માસ કર્યું. ત્યારબાદ તેમણે ભટેનરના જૈન પુસ્તકના ભંડારની ઉત્તમ વ્યવસ્થા કરી. ત્યાંથી વિકાનેરમાં ચતુર્માસ કરીને તેમણે ત્યાં ઘણા જીવોને જૈનધર્મમાં સ્થિર કર્યા. વળી તેમણે શુદ્ધ સામાચારી પ્રકાશપ્રત્યુત્તર” નામનું પુસ્તક રચ્યું છે તથા વડોદરે ચતુર્માસ કરીને ગુરુભક્તિથી તેમણે ત્યાં શ્રી આત્મારામજી જૈનશાળા તથા લાયબ્રેરીની' સ્થાપના કરી છે. ઇત્યાદિ તેમણે ઘણાં ધર્મોન્નતિનાં કાર્યો કર્યાં છે. ३६१ ૧. શ્રી જયવિજયજી સંસારીપણામાં જ્ઞાતે વીસા શ્રીમાલી વાણીઆ તથા ડભોઇના રહેવાસી હતા; અને તેમનું નામ જયચંદ હતું. તેમણે સંવત ૧૯૩૯માં લુધીયાનામાં મહારાજશ્રી પાસે દીક્ષા લીધી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy