SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદ્દશમ: સર્જ: । २९९ પછી આ સૂરીશ્વર ઝંડીયાલા નામના નગર પ્રતે આવ્યા; તથા ત્યાં શિષ્યો સહિત ચતુર્માસ રહ્યા. ततोऽपि पुनरागत्य, जीराख्यनगरं त्वरम् । स्थितः स च चतुर्मासं, भव्यबोधैकमानसः ॥ १०८ ।। પછી ત્યાંથી તુરત જીરા નામના નગર પ્રતે આવીને, ભવ્યોને બોધ દેવામાં જ છે એક મન જેમનું એવા તે મુનિરાજ ત્યાં ચર્તુમાસ રહ્યા. तत्त्वनिर्णयप्रासाद, नामा ग्रंथश्च निर्मितः । तेन स्थित्वात्र हर्षेण, नानाजीवोपकारकः ॥ १०९ ॥ વળી તે મુનિરાજે અહીં જીરા ગામમાં રહીને હર્ષથી વિવિધ પ્રકારના જીવોને ઉપકાર કરનારો તત્ત્વનિર્ણયપ્રાસાદ નામનો ગ્રંથ બનાવ્યો. ततो गतोऽसौ पट्याख्य, ग्रामं पुनरपि द्रुतम् । तत्रांजनशिलाका च, कारिता तेन सूरिणा ॥ ११० ॥ પછી આ સૂરીશ્વર ફરીને પણ તુરત પટ્ટી નામના ગામ પ્રતે ગયા તથા ત્યાં તેમણે અંજનશલાકા કરાવી. ततो निर्गत्य सोऽथागा, दंबालाभिधपुर्वरम् । सुखेन च स्थितस्तत्र, चतुर्मासावधिं मुनिः ॥ १११ ॥ હવે ત્યાંથી નીકળીને તે મુનિરાજ અંબાલા નામના ઉત્તમ નગર પ્રતે આવ્યા; તથા ત્યાં સુખેથી ચતુર્માસ રહ્યા. अथागतो मुनींद्रोऽपि स सनखतराभिधम् । ' ग्रामं च तत्राप्यंजन, शिलाका तेन कारिता । ११२ ।। હવે શ્રી આત્મારામજી મુનિરાજ પણ સનખતરા નામના ગામમાં આવ્યા તથા ત્યાં પણ તેમણે અંજનશિલાકા કરાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy