SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ N: : / २२९ નિર્ણય કરાવવા માટે મોકલી આપ્યા. તે ઉપરથી સર્વે જણાએ પક્ષપાત રહિત જૈનશૈલીને અનુસાર પોતાનો મત જાહેર કર્યો કે, હુકમમુનિના બનાવેલ અધ્યાત્મસારમાંથી જે ૧૪ પ્રશ્નો શ્રી આત્મારામજીએ કહાડ્યા છે, તે જૈન ધર્મથી વિરુદ્ધ અને સંશયથી ભરપૂર છે. તથા તેમણે આપેલા ઉત્તર શાસ્ત્રાનુસાર છે. પંડિતોના આવેલા અભિપ્રાય “જૈન એસોસિએશન ઓફ ઈન્ડીયા”એ પોતાની સુરત બ્રેન્ચ સભામાં સર્વ સંઘને એકત્ર કરી સંવત ૧૯૪૨ માગશર સુદ ૧૪ના દિવસે વાંચી સંભળાવ્યા અને સભામાં આવેલા હુકમમુનિના સેવકોને ખબર આપી કે સર્વ પંડિતોના મત પ્રમાણે હુકમમુનિનો બનાવેલો અધ્યાત્મસાર ગ્રંથ અમાન્ય ઠર્યો છે. જેથી અમે પણ તે ગ્રંથને જૈનશૈલીથી વિરુદ્ધ માની હુકમમુનિને ખબર આપીએ છીએ કે તેમણે પોતાના ગ્રંથમાંથી અસત્ય લખાણનો સુધારો કરવા અથવા તે લખાણ પાછું ખેંચી લેવું. જ્યાં સુધી એ બેમાંથી એક બાબત તેઓ કરશે નહિ, ત્યાં સુધી અમે તે ગ્રંથને પ્રમાણિક માનીશું નહિ. એ પ્રમાણે ઠરાવ કરી સભા વિસર્જન થઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy