SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે દિવાકર પદની વાત એથી ન્યારી છે.' (૩) ઉપાધ્યાયજીની પહેલાં રચાયેલા ગ્રંથોમાં ગન્ધહસ્તીને નામે જે અવતરણો મળે છે તે પૈકી કેટલાંક સશે તો કોઈ કોઈ થોડાક પરિવર્તનપૂર્વક તો કોઈક ભાવાનુવાદ રૂપે ત. સૂની સિદ્ધસેનગણિકૃત ટીકામાં જોવાય છે. એથી એ ફલિત થાય છે કે ગન્ધહસ્તી તે આ ચકાકાર જ છે. હજી તો સૂની હરિભદ્રીય ટીકાના પૂરક યશોભદ્રના શિષ્ય એ ટીકાની ટીકા પત્ર પર૧)માં ઉપર્યુક્ત સિદ્ધસેનગણિનો ગબ્ધહસ્તી વિશેષણપૂર્વક ઉલ્લેખ કર્યો છે. ઉપાધ્યાયજીને ભ્રાંતિ કેમ થઈ હશે એ વિષે પરિચય' પૃ. ૫૦)માં બે કારણ દર્શાવાયાં છે : (૧) નામની સમાનતા. (૨) “પ્રકાંડ વાદી તરીકે અને કુશળ ગ્રંથકાર તરીકે પ્રસિદ્ધિ પામેલ સિદ્ધસેન દિવાકર જ ગંધહસ્તી સંભવી શકે એવી સંભાવના.” - છઠ્ઠા વિધાનના સંબંધમાં જ્ઞાનબિન્દુ મૃ. ૧૨૯)માં સંસ્કૃતમાં ટિપ્પણી દ્વારા કહ્યું છે કે આ ગાથા બૃહત્કલ્પના મુદ્રિત લઘુભાષ્યમાં નથી. એ તો આ લઘુભાષ્ય (ગા. ૯૬ ૫)ના વ્યાખ્યા પ્રસંગે અમુદ્રિત બૃહદ્ભાષ્યમાં અપાઈ છે. તેમ છતાં પુણ્યવિજયજીના મતે એ વિસેરા.માંથી જ ઉદ્ધત કરાઈ છે કેમકે એમના મતે બૃહભાષ્યના પ્રણેતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સમય પછી થયા છે. જિનમૂર્તિની પૂજાના લુપકો સામેની ઝુંબેશ ન્યાયાચાર્યે જિનપ્રતિમાની પૂજાનો નિષેધ કરનાર સામે – લુંપક' સામે પ્રતિમાશતકમાં આકરા પ્રહાર કર્યા છે એટલું જ નહિ, પણ આ વિષયને અંગે વિવિધ કૃતિઓ રચી એ અમૂર્તિપૂજકો પ્રત્યે- લુપકોને ઉદ્દેશીને પોતાનું મંતવ્ય કડક શબ્દોમાં રજૂ કર્યું છે. જૈન શાસનમાં લોંકાશાહ વિ. સં. ૧૫૦૮) અને એમના શિષ્ય લખમસી (વિ. સં. ૧૫૩૦) દ્વારા જિનપ્રતિમાની પૂજાના નિષેધનો પવન ફૂંકાયો અને વિ. સં. ૧૫૩૩માં ભાણાએ આંધી ચડાવી. એના પ્રતીકાર રૂપે લાવણ્યસમયે વિ. સં. ૧. એજન, પૃ. ૪૮. ૨. એજન, પૃ. ૫૦. ૩. એજન, ૫. પર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy