SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ન્યાય યાને તર્કશાસ્ત્ર એવી બને. મણિ શોધવા માટે સો પુટ અપાય છે અને એ દરેક પુટ સાચું છે. વિષ વગેરે પાંચ પ્રકારની ક્રિયાઓમાં પહેલી ત્રણ ત્યાજ્ય છે, જ્યારે છેલ્લી બે ગ્રાહ્ય છે. અમૃત-ક્રિયા સર્વથા દોષથી મુક્ત છે. જેમ ચક્રવર્તીનું ભોજન ન મળે ત્યાં સુધી પોતાનું સામાન્ય ભોજન ન છોડવું ઘટે તેમ નિશ્ચય-નયના ફ્ળરૂપ કેવલજ્ઞાન મળે નહિ ત્યાં સુધી વ્યવહાર ત્યજવો ન જોઈએ. વ્યવહાર પુણ્યનો હેતુ છે. એ પુણ્ય પાપને બાળે. ભવ્ય જીવ જો ક્રિયાવાદી હોય તો એ જ એક પુદ્ગલપરાવર્તમાં મોક્ષે જાય. કેવળ સમ્યક્ત્વથી મોક્ષ ન મળે, વિરતિ જોઈએ. શ્રેણિકનું દૃષ્ટાંત આપનારે યાદ રાખવું ઘટે કે એ વિરતિથી રહિત હોવાથી નરકગતિ દૂર ન કરી શક્યા. જો કે એઓ સમ્યક્ત્વના બળે મોક્ષે જના૨ છે. સમ્યક્ત્વ વિરતિને તાણી લાવે. વધુમાં વધુ બેથી નવ પલ્યોપમ જેટલી વાર લાગે. આનંદ જેવાને તો સમ્યક્ત્વની સાથે જ વિરતિની પ્રાપ્તિ થઈ હતી. બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધા વિનાના લવસત્તમ દેવો વ્રતી ન ગણાય. અવિરત દશા હોય તો પાપ ન કરાય તો યે પાપ લાગે, વ્યવહા૨-નય પ્રમાણે સેવક-સેવ્યભાવ છે. શુદ્ધ આત્માની દૃષ્ટિએ સીમંધરસ્વામી અને કર્તા સમાન છે. જેને સર્વે નદીઓનાં જળ સમુદ્રમાં ભળી જાય તેમ અખંડ બ્રહ્મ અને સખંડ બ્રહ્મ ધ્યાનમાં ભેગા થઈ જાય. ઉલ્લેખ – આ સ્તવનમાં નિમ્નલિખિત ગ્રંથોનો ઉલ્લેખ છે : આવશ્યકભાષ() (ઢા. ૩), ઉપદેશમાલા (ઢા. ૩), દશાચૂર્ણિ (ઢા. ૨), ધર્મસંગ્રહણી (ઢા. ૨), પંચવસ્તુ (ઢા. ૨), યોગબિન્દુ (ઢા. ૨) અને વ્યવહારભાષ્ય (ઢા. ૧). જ્ઞાનક્રિયાની સજ્ઝાય – આ નામની એક કૃતિ ઉપાધ્યાયજીએ રચ્યાનું કેટલાક કહે છે. એ જોયા વિના શું કહી શકાય ? એમાં ગુજરાતીમાં જ્ઞાન-નય અને ક્રિયાનયનું સ્વરૂપ સમજાવાયું હશે. જો એમ જ હોય તો જસવિલાસનું ૩૬મું પદ સંતુલનાર્થે વિચારવું ઘટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy