SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ યશોદોહનઃ ખંડ-૧ ૧૫ આ ઉપરથી આપણે નીચે મુજબ તારવણી કરી શકીએ – સ્થળ વિક્રમસંવત સ્થળ વિક્રમસંવત ઇંદલપુર ૧૭૩૩ સિદ્ધપુર ? ખંભાત ૧૭૩૨, ૧૭૩૯ સુરત ૧૭૨૨ (? ૧૭૪૪) ડભોઈ ૧૭૪૩ બિરુદો – યશોવિજયજીગણિએ પોતાની કેટલીક કૃતિઓમાં પોતાનાં બિરુદોનો ઉલ્લેખ કર્યો છે. તે સૌથી વિશ્વાસપાત્ર હકીકત હોવાથી એની હું પ્રારંભમાં જ નોંધ લઉં છું: ન્યાયવિશારદ – આ બિરુદ એમને કાશીમાં પંડિતો તરફથી મળ્યું હતું. આ બિરુદ શા માટે અપાયું તે વાત એમની કોઈ ઉપલબ્ધ કૃતિમાં દર્શાવાઈ નથી. ન્યાયાચાર્ય – યશોવિજયજીગણિએ પોતાની કેટલીક કૃતિમાં પોતાને ન્યાયાચાર્યનું પદ (બિરુદ મળ્યાનું કહ્યું છે. એ કોણે શા માટે આપ્યું તે વિષે એમણે જેસલમેરથી લખેલા પત્રમાં કહ્યું છે કે “ન્યાયાચાર્ય બિરુદ તો ભટ્ટાચાર્ય ન્યાયગ્રંથ રચના કરી દેખી પ્રસન્ન હુઈ દિઉં છઈ.” આ બિરુદ એમને કાશીમાં મળ્યું હશે. કવિ – યશોવિજયજીગણિએ કેટલીક ગુજરાતી કૃતિઓમાં પોતાને કવિ કહ્યા છે. તે મને એમ લાગે છે કે એમને કોઈ તરફથી એ બિરુદ મળ્યું હશે. નહિ તો પોતે જાતે પોતાનો એ રીતે નિર્દેશ કરે ખરા ? લઘુહરિભદ્ર - સમભાવભાવી હરિભદ્રસૂરિજીના લઘુ બાંધવ તરીકે યશોવિજયજીગણિનો ઉલ્લેખ સુ. વે. (ઢાલ ૪, કડી ૪)માં કરાયો છે. કૂર્ચાલી શારદ– સુ. વે. (ઢાલ ૧, કડી ૬)માં આ ગણિને “કૂર્ચાલી શારદાનું અર્થાતુ મુછાળી સરસ્વતીનું બિરુદ હોવાનું કહ્યું છે. તાર્કિક – યશોવિજયજીને માટે આ સંબોધન સુ. વે. (૨, ૮)માં વપરાયું છે. ગુરુ-પરંપરા – ‘તપ(પા) ગચ્છના મંડનરૂપ વાચક યશોવિજયજીગણિ મોગલ સમ્રાટ અકબર દ્વારા સન્માનિત “જગર' હીરવિજયસૂરિજીના સંતાનીય થાય છે. એમની ચોથી પેઢીએ એઓ થયા છે. આ સૂરિવર્યને અનેક શિષ્યો હતા. આ પૈકી અહીં ઉપાધ્યાય કલ્યાણવિજયજીગણિ અને ઉપાધ્યાય કીર્તિવિજયજીગણિ પ્રસ્તુત છે. એ કલ્યાણવિજયગણિને લાભવિજયગણિ નામે શિષ્ય હતા, જ્યારે ૧. તર્કભાષા પ્રશસ્તિ શ્લો. ૪) તેમજ તત્ત્વવિવેક પ્રારંભનો શ્લો. ૨) ૨. સુ. વે. માં આ બિરુદ મળ્યાની વાત નથી એ નવાઈ જેવી વાત છે. ૩. દા. ત. ત્રીજી ચોવીસીનાં કેટલાંક સ્તવનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy