SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ પ્રકીર્ણક બાબતો. "ચાતુમસો આજકાલ જૈન શ્રમણ-શ્રમણીઓ અષાડ-ચોમાસાના ચાર મહિના (અષાડ સુદ ચૌદસથી કાર્તિક ચૌદસ સુધી) એક જ નગરમાં કે ગામમાં ઠરીઠામ રહેતાં જોવાય છે. એ દરમ્યાન એઓ વિહાર કરતાં નથી. આવી પ્રથા યશોવિજયજીગણિના સમયમાં હશે તો એને અનુસરીને એ ગણિએ એમની દીક્ષા બાદ ચાતુર્માસો કર્યો હશે. એમણે ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે ચાતુર્માસ કર્યો. એની સળંગ સૂચી તો આપી શકાય તેમ નથી. આથી આ સંબંધમાં જે કંઈ માહિતી મને મળી છે તે હું અહીં નોંધું છું: વિ. સં. ૧૭૨૨માં કે પછી ૧૭૨૪, ૧૭૪૨ કે ૧૭૪૪માં) સુરતમાં ચાતુર્માસ. આ દરમ્યાન યશોવિજયજીગણિએ નિમ્નલિખિત બે સઝાય રચી હતી – (૧) અગિયાર અંગની સઝાય. (૨) પ્રતિક્રમણ-હેતુ-ગર્ભિત સઝાય. વિ. સં. ૧૭૩૨માં ખંભાતમાં ચાતુર્માસ. આ દરમ્યાન મૌન એકાદશીનું દોઢસો કલ્યાણકનું સ્તવન રચાયું છે. વિ. સં. ૧૭૩૩માં ઈંદલપુરમાં એટલે કે અમદાવાદના એક પરામાં ચાતુર્માસ. એ દરમ્યાન વીરસ્તુતિરૂપ હૂડીનું સ્તવન રચાયું છે. વિ. સં. ૧૭૩૯માં ખંભાતમાં ચાતુર્માસ આ સમય દરમ્યાન જંબુસ્વામીનો રાસ રચાયો છે. વિ. સં. ૧૭૪૩માં ડભોઈમાં ચાતુર્માસ આ દરમ્યાન કોઈ કૃતિ રચાઈ છે ખરી? સિદ્ધપુરમાં ચાતુર્માસ. આને અંગેનું વર્ષ જાણવામાં નથી. બાકી એ ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનસાર રચાયો છે. ૧. “ચાતુર્માસ માટે ગુજરાતીમાં “ચોમાસું' શબ્દ વપરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy