SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ યશોદોહન : ખંડ–૧ અને તર્ક અને કાવ્યને અંગે વરદાન મેળવ્યું હતું. આમ છતાં સુજશવેલીમાં આ બાબતનો ઈંસારો સરખો પણ નથી તો એ નવાઈ જેવું ન ગણાય ? આગ્રામાં ચાર વર્ષ – ત્રણ વર્ષ કાશીમાં રહી ‘તાર્કિક’ તરીકેની નામના મેળવી યશોવિજયજી આગ્રા આવ્યા. ત્યાં એમણે કોઈ ન્યાયાચાર્ય પાસે ચાર વર્ષ સુધી અભ્યાસ કર્યો અને એઓ કર્કશ તર્કના સિદ્ધાન્તોમાં પારંગત બન્યા. ૯ યશોવિજયજીએ ‘મલકાપુરમંડન' સુપાર્શ્વનાથ સ્તવન રચ્યું છે. એ એમણે મલકાપુરમાં રચ્યું હોય અને એ મલકાપુર' આગ્રાની નજીકમાં હોય તો કોઈક કારણસ૨ એઓ આગ્રામાં રહ્યા હતા એમ અનુમનાય. સાતસો રૂપિયાની ભેટ – યશોવિજયજીની વિદ્વત્તાથી આકર્ષાયેલા આગ્રાના સંઘે એ મુનિરત્નને સાતસો રૂપિયા ભેટ ધર્યાં. એમણે એ રૂપિયા પુસ્તકો ખરીદવામાં અને લખાવવામાં તેમજ પાઠા બનાવરાવવામાં વપરાવ્યા. અને પછી એ પુસ્તકો અને પાઠા વિદ્યાર્થીઓને આપી દીધા. ૧. એમનું નામ જાણવામાં નથી. ૨. આ સંબંધમાં જુઓ મારો લેખ નામે “મલકાપુર તે કયું ? ભૂગોલશોને પ્રશ્ન' આ લેખ “જૈ. સ. પ્ર.” (વ. ૨૨ અ. ૮)માં છપાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy