SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ સત્કાર અને સ્વર્ગવાસ અમદાવાદમાં આગમન આગ્રાથી વિહાર કરી માર્ગમાં દુર્દમવાદીઓને વાદમાં જીતતાં જીતતાં યશોવિજયજી ‘અમદાવાદ' આવ્યા. એ વેળા એમનો વાજતેગાજતે સત્કાર કરાયો અને એઓ નગરની રતનપોળને નાકે આવેલી “નાગપુરીય સરાહ”માં ઊતર્યા. મહોબતખાનનું આમંત્રણ અને અઢાર અવધાન – જોતજોતામાં યશોવિજયજી ગણિની વિદ્વત્તાની વાત પસરતી પસરતી ઔરંગઝેબના ગુજરાતના સૂબા મહોબતખાનને કાને પહોંચી અને એમણે આ ગણિજીને આમંત્રણ આપ્યું. પછી એ ગણિએ એ સૂબાની વિનંતીથી ૧૮ અવધાન કરી બતાવ્યાં. સૂબો રાજી થઈ ગયો અને ઠાઠમાઠપૂર્વક એ ગણિ પોતાના સ્થાને પાછા ફર્યા. જિનશાસનની ઉન્નતિ થઈ અને ‘તપા’ગચ્છની તારીફ કરાઈ. વિ. સં. ૧૯૧૮માં ‘વાચક' પદવી – સકળ સંઘે વિજયદેવસૂરિજીને વિજ્ઞપ્તિ કરી કે આ યશોવિજયજી બહુશ્રુત છે. એઓશ્રી ઉપાધ્યાય' પદને લાયક છે. માટે એમને એ પદવી આપો. વિજ્યદેવસૂરિજીને ગળે એ વાત ઊતરી. એવામાં યશોવિજયજીએ (વીસ) સ્થાનકનું તપ આદર્યું અને સંયમને નિર્મળ બનાવ્યો. એ વેળા જયસોમ વગેરે પંડિત મુનિઓ એમની સેવા કરવા લાગ્યા. યશોવિજયજીએ આદરેલા તપની પૂર્ણાહુતિ થતાં જાણે એ તપનું ફ્ળ જ ન હોય, તેમ વિજયદેવસૂરિજીએ વિ.સં. ૧૭૧૮માં એમને ‘વાચક’ અર્થાત્ ઉપાધ્યાયની પદવી આપી.' માફીપત્ર – પ્રવર્તક’ શ્રી કાન્તિવિજયજી પાસે ચારથી પાંચ ઇંચ લાંબા-પહોળા કાગળ ઉપર વિ. સં. ૧૭૧૭માં લખાયેલું માફીપત્ર છે એમ સ્વ. મોહનલાલ દ. ૧, અત્યારે એને નાગોરી સરાઇ” તરીકે ઓળખાવાય છે. સરાઇનો અર્થ ધર્મશાળા થાય છે. આ સ્થાન અતિ મહત્ત્વનું હોવાથી યશોવિજયજીના સ્મારકરૂપ હોવાથી જૈન સંઘે પોતાની માલિકીનું એ બનાવવું ઘટે. ૨. જુઓ સુ. વે. (૩, ૧-૪) ૩. એજન (૩, ૫-૮) ૪. એજન. (૩, ૯-૧૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy