SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગેલિક પરિચય ૧૦૦ આ દેશને તિરહુતિ કહ્યો છે. અને મિથિલાને જગતી (પ્રાકૃત-જ્ઞar) કહ્યો છે. એની નજીક જ મહારાજા જનકના ભ્રાતા કનક રહેતા હતા. એના નામથી કનકપુર વસ્યુ હતું. મિથિલામાંથી જૈન શ્રમણની મૈથિલિયા શાખા શરૂ થઈ છે. ભગવાન મહાવીરે અને છ ચાતુર્માસ વિતાવ્યા હતા. આઠમા ગણધર અંકપિતની એ જન્મભૂમિ હતી. પ્રત્યેકબુદ્ધ નમિને કંકણને ધ્વનિ સાંભળીને અને વૈરાગ્ય ઉત્પન્ન થયે હતે.૧૦ ચતુર્થ ચિહ્ન અશ્વમિ વીર નિર્વાણના ૨૨૦ વર્ષ પછી “સામુછતિ વા'નું પ્રવર્તન અોથી કર્યું હતું.૧૧ દશ પૂર્વધારી આર્ય મહાગિરિનું આ મુખ્યત્વે વિહારક્ષેત્ર રહ્યું હતું. ૧૨ બાણગંગા અને ગંડક એ બે નદીઓ આ નગરને વીંટળાઈને વહેતી હતી. ૧૩ જૈન આગમાં ઉલિખિત દસ રાજધાનીમાં મિથિલાનું પણ નામ છે. ૧૪ મિથિલા એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું. જિનપ્રભસૂરિના સમયમાં પ્રત્યેક ઘર કદલી–વનથી સુશોભિત હતું. ખીર ત્યાંનું પ્રિય ભજન હતું. સ્થળે સ્થળે વાવ, કૂવા અને તળાવ જોવા મળતાં હતાં. અહીં ૪. સંવફા તિત્તિ ફેલોરિ મર્જ –વિવિધ તીર્થકલ્પ પૃ. ૩૨ ૫. વિવિધ તીર્થકલ્પ, પૃ. ૩૨ . ૬. વિવિધ તીર્થકલ્પ, પૃ. ૩૨ કટપસૂત્ર ૨૧૩, પૃ. ૨૯૮, દેવેન્દ્ર મુનિ સંપાદિત ૮ કલ્પસૂત્ર ૧૨૨, પૃ. ૧૯૮ ૯. આવશ્યક નિયુક્તિ. ગ ૬૪૪ ૧૦. ઉત્તરાધ્યયન સુખબોધા, પત્ર ૧૩૬–૧૪૩ ૧૧, આવશ્યક ભાષ્ય, ગા. ૧૩૧ ૧૨. આવશ્યક નિર્યુક્તિ. ગા. ૭૮૨ ૧૩. વિવિધ તીર્થકલ્પ, પૃ. ૩૨ ૧૪, સ્થાનાંગ ૧૦,૭૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy