SearchBrowseAboutContactDonate
Page Preview
Page 930
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌગોલિક-પરિચય પૃષચંપા નગરી ચંપાની પશ્ચિમમાં આવેલી હતી. રાજગૃહથી ચંપા જવાના માર્ગો પૃષચંપા વચ્ચે આવતી હતી. પેઢાલ ઉદ્યાન પેઢાલ ગામની બહાર પેઢાલ ઉદ્યાન આવેલ હતું. આ ઉદ્યાનના પિોલાસ નામને ચિત્યમાં ભગવાન મહાવીરે ધ્યાન કર્યું હતું. જે ધ્યાનની એકાગ્રતાની પ્રશંસા સ્વયં ઈન્દ્ર પણ કરી હતી. આ કારણે સંગમક દેવે ભગવાનને વિચલિત કરવા માટે અનેક ઉપાય કર્યા હતા. આ પેઢાલ ગામ અને ઉદ્યાન ગોંડવાનામાં કોઈ ઠેકાણે આવેલા હોવા જોઈએ. એ મુનિ શ્રી કલ્યાણવિજ્યજીને અભિપ્રાય છે. પિતનપુર પોતનપુરના અધિપતિ રાજા પ્રસન્નચન્દ્ર હતું. એણે ભગવાન મહાવીરની પાસે દીક્ષા લીધી હતી. મહાવીર ચરિત્રગ્રંથમાં જણાવ્યા પ્રમાણે પિતનપુરમાં પધાર્યા હતા. બૌદ્ધ સાહિત્યમાં પોતનપુરનું નામ પિતલી મળે છે. એની રાજધાની અસ્મક હતી. જાતકેથી જાણવા મળે છે કે પહેલા અસ્સક અને દન્તપુરના રાજાઓમાં પરસ્પર યુદ્ધ થતાં રહેતાં હતાં. આ પિતન કઈ વખતે કાશી રાજ્યના અંગ તરીકે હતું. આ સ્થાન ગોદાવરીને ઉત્તર તટ પર આવેલું હતું. સાતવાહનની રાજધાની પ્રતિષ્ઠાન અને હાલનું પૈઠણુ એ પિતનપુરનું જ પછીનું નામ છે.' પિલાસપુર આગમ સાહિત્યમાં પિલાસપુરને ઉલલેખ બે સ્થળે થએલા છે. ઉપાસક દશાંગ પ્રમાણે પલાસપુરની બહાર સહસ્રામ્રવન નામને ૧. (ક) ગ્રાફી ઓફ અલી બુદ્ધિજૂમ, પૃ. ૨૧ (ખ) સંયુક્તનિકાય, હિન્દી અનુવાદ, ભૂમિકા, ૫, ૭ ભ. મ. પ્ર. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy