SearchBrowseAboutContactDonate
Page Preview
Page 892
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌગોલિક પરિચય એની મહારાણીનું નામ સુભદ્રાદેવી હતું. રાજકુમારનું નામ વૈશ્રમણ હતું અને એના પુત્રનું નામ ધનપતિ હતું. ભગવાને પહેલી વખતે ધપતિને પૂર્વભવ સંભળાવીને શ્રાવકનાં વ્રત આપ્યાં હતાં અને બીજી વખતે જ્યારે તેઓ ત્યાં પધાર્યા ત્યારે ધનપતિને શ્રમધર્મની દીક્ષા આપી હતી. હાલમાં પ્રસ્તુત નગરનું નામ શું છે, તે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. યલિ સમાગમ લિ સમાગમ એ મગધને દક્ષિણ પ્રદેશ–મલયભૂમિમાં હોવું જોઈએ; કેમકે ભગવાન મહાવીર મલયની રાજધાની દિલ નગરીથી અહીં પધાર્યા હતા અને અહીંથી તેઓ વૈશાલી ગયા હતા. યંગલા ભગવાન મહાવીરે પિતાને થે વર્ષાવાસ પૃષ્ઠચંપામાં કર્યો હતું અને ત્યાંથી તેઓ યંગલા પધાર્યા હતા તથા દરિદ્રઘેર પાખંડના દેવળમાં ધ્યાનમુદ્રામાં સ્થિર થયા હતા, તે સ્થાન કયું ? આ અંગે વિદ્વાનમાં એક મત નથી. જે એ સ્થાન અંગદેશમાં ચંપાની પૂર્વ તરફ હતું, એમ માનીએ તે સંભવ છે કે હાલ જે કંકોલ નગરી છે, તે જ પ્રાચીન યુગની કયંગલા નગરી હેય. બૌદ્ધ સાહિત્યના આધારે કેટલાય વિશે સંચાલ જિલ્લામાં આવેલ કંકોલને જ પ્રાચીન કલ્ચકલા (યંગલા) માને છે. ભગવાન મહાવીરના સમયે એક કયંગલા નગરી શ્રાવસ્તીની નજીક હતી અને એક કાત્યાયનગોત્રીય સ્કંધક પરિવ્રાજક ત્યાં રહેતે હતો અને તે મહાવીરનો શિષ્ય બન્યો હતો. . ભગવતી સૂત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy