SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ઋષભપુર ત્રષભપુરની બહાર ગૂભકરંડક ઉદ્યાન હતું. અને ધન યક્ષનું ચિત્ય હતું. રાણીનું નામ સરસ્વતી હતું અને રાજાનું નામ ધનાવહ હતું તથા રાજકુમારનું નામ ભદ્રનંદી હતું. ભદ્રનંદીએ ભગવાનની પાસે શ્રમધર્મને સ્વીકાર કર્યો હતો. બીજા નિદ્ભવ તિષ્યગુપ્ત ઇષભપુરના નિવાસી હતા. ઉત્તરાધ્યયન સૂત્રના ટીકાકાર અષભપુરને રાજગૃહનું પર્યાયવાચી ગણ્ય છે. ત્રાષભપુરનો ઈતિહાસ આપતાં આવશ્યકચૂર્ણિકારે લખ્યું છે–પૂર્વે તે ક્ષિતિપ્રતિષ્ઠત નગર હતું. એનું વાસ્તુ વિચ્છિન્ન થઈ જવાથી પછીથી ચનકનગર વસાવવામાં આવ્યું. ચીકનગર જ્યારે જીણું– શીર્ણ થઈ ગયું ત્યારે ઋષભપુર વસાવવામાં આવ્યું. એની પછી કુશાગ્રપુર અને પછીથી રાજગૃહ. આથી એ સ્પષ્ટ થાય છે કે રાજગૃહ બાષભપુર નથી, પરંતુ તે મગધનું નગર છે. એનાં ઉદ્યાન વગેરેનો જુદાં જુદાં નામ મળે છે. ભગવાન મહાવીરનું સમવસરણ જે ઝાષભપુરમાં થયું હતું તે ઇષભપુર મુનિ કલ્યાણવિજયજીના અભિપ્રાય મુજબ પાંચાલ તરફ ઉત્તર ભારતમાં હોવું જોઈએ.' કનખલ આશ્રમપદ અહીં ચંડકૌશિક સર્પ ભગવાન મહાવીરને ડર્યો હતો. ભગવાને દષ્ટિ-વિષ સર્પને પ્રતિબોધ આપ્યા પછી પિતે ત્યાં પંદર દિવસ ધ્યાન કર્યું હતું. પ્રસ્તુત આશ્રમપદ વેતાંબિકા નગરીની સમીપ હતું. કનકપુર ભગવાન મહાવીર આ નગરની બહાર વેતાશક ઉદ્યાનમાં વિરાજ્યા હતા. એ સમયે ત્યાં રાજા પ્રિયચંદ્ર રાજ્ય કરતે હતે. ૧. શ્રમણ ભગવાન મહાવીર પૃ. ૩૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy