SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌગોલિક પરિચય ચીની સાધુ ફાટ્યુઆંગ-ફાયહાન (૪૨૪-૪૫૩ ઈ.) નગરહારથી વિદેશ જતી વખતે વરણ થઈને ગયો હતો. ૧૩ અનાયદેશ આવશ્યકર્ણિમાં આર્ય અને અનાર્ય પ્રદેશની વ્યવસ્થા આ પ્રકારે કરેલી છે – જે પ્રદેશમાં યૌગલિક રહેતા હતા જ્યાં “હાકાર આદિ નીતિઓનું પ્રવર્તન થયું હતું તે પ્રદેશ આયે દેશ અને શેષ અનાર્ય છે. આ દષ્ટિએ આર્ય જનપદની સીમા અત્યધિક વધી જાય છે. તત્ત્વાર્થભાષાના મત પ્રમાણે ચકવતના વિજયમાં ઉત્પન્ન થનાર મનુષ્ય પણ આર્ય છે. તત્ત્વાર્થ વાર્તિકકારે કાશી-કૌશલ આદિ જનપદોમાં ઉત્પન થયેલા મનુષ્યને ક્ષેત્રાર્ય કહ્યા છે. જૈન સાહિત્યમાં સાડા પચીસ દેશમાં રહેનારને ક્ષેત્રાર્ય કહ્યા છે. કેમકે સાડા પચીસ દેશમાં તીર્થકર, ચકવતી, રામ (બળદેવ) અને કૃષ્ણ વાસુદેવ)ની ઉત્પત્તિ થઈ છે. એટલે એને આર્ય જનપદ કહેવામાં આવે છે." જે દેશમાં તીર્થકર આદિ ઉત્પન થયા, એને આય કહેવામાં આવ્યા છે. એ સમયે લાઢ કે રાઢની ગણતરી અનાર્ય દેશમાં કરવામાં આવતી. તે દેશ વજજભૂમિ (વજીભૂમિ) અને સન્મભૂમિ (સુદ્દા) નામના બે વિભાગમાં વિભક્ત હતે. એની રાજધાની કેટિવર્ષ હતી. આધુનિક ખાનગઢ એ જ પ્રાચીન કટિવર્ષ છે. તે ૧૩. દ ગ્રેફિકલ કેસ ઓફ મહામાયરી જર્નલ યુ. પી. હિસ્ટોરિકલ સોસાયટી આવૃત્તિ ૧૫, ભાગ-૨ १. जेसु कसुवि पएसेसु मिहुणगादि पइट्ठिएसु हक्काराइया नीइ परूढा ते आरिया सेसा अणारिया । –આવશ્યક ચૂર્ણિ २. भरतेष्वर्धषड्विंशति जनपदेषु जाताः, शेषेषु च चकवर्ती विजयेषु –તત્ત્વાર્થભાગ ૩,૧૫ . ક્ષેત્રા રશાઢિપુ ગાતા –તત્ત્વાર્થરાજવાતિક ૩, ૩૬ પૃ. ૨૦૦ ૪. પ્રજ્ઞાપના ૧ ૫. ત્યુત્પત્તિ નિશાળ, વીંd રામેળ | –પ્રજ્ઞાપના ૧ Jain Education International ional For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy