SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ઉપાસકદશાંગના અનુવાદમાં ડે. હનલે વાણિજ્યગ્રામના રાજા જિતશત્રુ અને ચેટકને એક વ્યક્તિ કહી છે. પરંતુ એમનું આ કથન યથાર્થ લાગતું નથી. કેમકે અમે પહેલા જ જણાવી ગયા છીએ કે વૈશાલી ગણતંત્રમાં ૭૭૦૭ અલગ રાજાઓ હતા, એટલે એ બન્નેને એક માનવાનું કેઈ કારણ નથી. ડે. ઓટોસ્ટીને પણ આ અંગે અનેક દષ્ટિએથી પ્રકાશ પાડ્યો છે.૨૪ ચેટક ભગવાન પાર્શ્વનાથની પરંપરાને શ્રાવક હતો. એને મહાવીરના વંશ સાથે બે પ્રકારે સંબંધ હતે. એક તો એ કે મહાવીરની માતા ત્રિશલા એની બહેન થતી હતી, અને બીજો એ કે મહાવીરના મેટા ભાઈ નંદીવર્ધનની પત્ની જેનું નામ જ્યેષ્ઠા હતું, તે એની પુત્રી હતી. આ પ્રમાણે મહાવીરની સાથે એને કૌટુમ્બિક સંબંધ હતો. શ્રાવક હોવાને નાતે એણે એ પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધમાં કામ પડે ત્યારે એક દિવસમાં એક બાણથી વધુ બાણને પ્રાગ કરીશ નહીં. શરણાગતની રક્ષા માટે એણે રાજા કૃણિક સાથે યુદ્ધ કર્યું હતું. એણે અમેઘ બાણથી રાજા કૃણિકના કાલકુમાર આદિ દસે ભાઈને દસ દિવસમાં પૂરા કર્યા હતા. જેના અંગે અમે અન્યત્ર પ્રકાશ પાડયો છે. 28. Jinist studies Ed. by muni jaina Vijai aylipuri Jain Sahitya Sansicod take Studes Ahmedabad 1948 ૨૫. ઉપદેશમાલા સટીક, પત્ર ૩૩૮. २१. () चेटक प्रतिपन्नप्रतिज्ञतया दिनमध्ये एकमेव शरं मुच्यते । –ભગવતી ૭, ૮, પત્ર ૧૧૧ (દાનશેખર વૃત્તિ) (4) प्रतिपन्नव्रतत्वेन दिनमध्ये एकमेव शरं मुंचति । –ભગવતી અન્ય ટીકા પત્ર ૫૭૯ ૨૭. નિરયાવલિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy