SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન વત્સદેશના રાજા શતાનીક સાથે, શિવાને ઉજજૈનીના રાજા ચંડપ્રદ્યોત સાથે, છાને મહાવીરના ભાઈ નંદીવર્ધનની સાથે અને ચેલણાને મગધના રાજા બિંબિસાર શ્રેણિક સાથે પરણાવવામાં આવી હતી. એક કન્યા સુચેષ્ઠા ભગવાન મહાવીરની પાસે પ્રજિત થઈ હતી. ભગવાન મહાવીરના સમયમાં વજિજઓનું એક શક્તિશાલી ગણતંત્ર હતું. એની રાજધાની શૈશાલી હતી. એટલે તે ગણતંત્ર વૈશાલી ગણતંત્રના નામે પ્રસિદ્ધ હતું. એ સમયે નાનાં મોટાં અનેક ગણતંત્રો હતાં. ૧૨ તે સંઘરાજ્ય યા “સંઘના નામથી પ્રસિદ્ધ હતાં. જાતક અકથાના ઉલ્લેખાનુસાર શૈશાલી ગણતંત્રના ૭૭૦૭ સભ્ય હતા. એ બધાને રાજા કહેવામાં આવતા. ભગવાન મહાવીરના પિતા સિદ્ધાર્થ પણ એમાંના એક રાજા હતા. આચાર્ય પાણિનિના મત પ્રમાણે આ બધા રાજાઓને અભિષેક થતો હતે. એમનું જેટલું ક્ષેત્ર હતું એટલાના તે અધિપતિ થતા હતા. અભિષેક થયા પછી તેઓ “સંજ્ઞારા” કહેવાતા હતા. “લલિત વિસ્તરમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે લિચ્છવી પરસ્પર એકબીજાને નાના કે મોટા માનતા નહીં પરંતુ બધા કહેતા હતા કે હું રાજા છું. હર એક રાજા પિત–પિતાના ઉપરાજા, સેનાપતિ, ભાંડાસિક હતા. આ બધાને રહેવા માટેના જુદાં જુદાં મકાન વૈશાલીમાં १. (क) सत्त धूताओ पभावती, पद्मावती, मिगावती, सिवा जेटूठा, सुजेटूठा, चेल्लाणात्ति,... पभावती वीतिभए उदायणस्स दिण्णा, पद्मावती चपाए दहिवाहणस्स, मिगावती कोसंवीए सताणियस्स, सिवा उज्जेणीए पज्जोतस्स, जेटूठा कुण्डग्गामे बद्धमाण सामिणो जेट्ठस्स नन्दिवद्धणस्स दिण्णा । (ખ) આવશ્યક હારિભદ્રીય ૬૭૬ (ગ) ત્રિષષ્ટિ, ૧૦, ૬, ૧૮૭–આવશ્યક ચૂર્ણિ ભાગ ૨, પૃ. ૧૬૪ ૧૨, હિન્દુ સભ્યતા પૃ. ૫૯૩ ૧૩. જાતક અઠકથા ભાગ ૧ પૃ. ૩૩૬ ભારતીય જ્ઞાનપીઠ ૧૪. પાણિનિ વ્યાકરણ ૧, ૨, ૩૪ ૧૫, લલિત-વિસ્તર ૩, ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy