SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન શ્રેણિક બિંબિસારના મૃત્યુથી ખિન્ન થઈને અભયકુમારે બુદ્ધ પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી અને અહંત પદ પ્રાપ્ત કર્યું. ભિક્ષુ બન્યા પછી એણે પિતાની માતા પદ્માવતી ગણિકાને પણ ઉદ્દબોધન કર્યું અને એણે ભિક્ષુણી બનીને અહંત પદ પ્રાપ્ત કર્યું.૫ સમીક્ષા અભયકુમાર અંગે જૈન અને બૌદ્ધના પ્રાચીન પ્રમાણેને આધારે સહજપણે જણાઈ આવે છે કે અભયકુમાર અને અભયરાજકુમાર એ બને જુદી જુદી વ્યક્તિ હશે. કેમકે જૈનદષ્ટિ પ્રમાણે એની માતા વણિક હતી, તે પ્રધાનમંત્રી હતા અને તે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. જ્યારે બૌદ્ધ દષ્ટિએ તે એક ગણિકાને પુત્ર હોય છે. વળી તે એક કુશળ રથિક હિતે; નિગંઠ ધર્મ છેડીને તે બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કરે છે અને અંતે બુદ્ધની પાસે ભિક્ષુ બને છે. જે અભય એક જ વ્યક્તિ હતા તે મહાવીર અને બુદ્ધ તે બને પાસે કેવી રીતે દીક્ષા લઈ શકે. એ સંભવ છે કે રાજા શ્રેણિકને અનેક પુત્રો હતા. એમાંથી એકનું નામ અભય હાય અને બીજાનું નામ અભયરાજકુમાર હોય. જૈન દીક્ષાને ઉલ્લેખ “અનુત્તરપપાતિક”માં છે. જેની રચના પંડિત દલસુખ માલવણિયા આદિ વિદ્વાને વિક્રમ પૂર્વે બીજી શતાબ્દીમાં થયેલી માની છે. ૨૮ બૌદ્ધ દીક્ષાને ઉલ્લેખ થેરાપદાન ૨૯ અને અઠકથામાં છે. થેરાઅપદાનની રચના પિટક સાહિત્યમાં બધાથી છેલ્લી માનવામાં આવે છે અને અડકથા તે એના પછીની રચના છે.૩૦ ૨૪. (ક) થેરગાથા ૨૪. (ખ) થેરગાથા-અટ્ટકથા, ખંડ ૧, પૃ. ૮૩-૪ ૨૫. થેરગાથા-અટ્ટકથા. ૩૧-૩૨, ૨૬. આગમ ઔર ત્રિપિટકઃ એક અનુશીલન, પૃ. ૩૫૯ ૨૭. અનુત્તરે૫પાતિક ૧,૧૦ ૨૮. આગમયુગકા જૈન-દર્શન, પૃ. ૨૮ ૨૯. થેરાઅપદાન, ભદિયવો , અભયત્થરઅપદાન. ૩૦. ખુદકનિકાય ખંડ ૭, નાલન્દા, ભિક્ષુ જગદીશકાશ્યપ, જુઓ-આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy