SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન દર્શાવવામાં આવ્યા છે.—ગૌતમ, ગાગ્ય, ભારદ્વાજ, આંગિરસ, શર્કરાભ, અક્ષકાભ, ઉદકાભાભ. વૈદિક સાહિત્યમાં ગૌતમ નામ કુલ સાથે સંકળાયેલ છે અને અષિઓ સાથે પણ સંકળાયેલ છે. બાદમાં ગૌતમ નામનાં અનેક સૂક્ત મળે છે. જેને ગૌતમ રાહૂગણ નામના કષિ સાથે સંબંધ છે. એમ તો ગૌતમ નામના અનેક ઋષિ, ધર્મસૂત્રકાર, ન્યાયશાસ્ત્રકાર, ધર્મશાસ્ત્રકાર વ્યક્તિએ થઈ ગઈ છે. અરુણઉદ્દાલક, આરુણિ આદિ ઋષિઓનું પૈતૃક નામ ગૌતમ હતું. એ કહેવું મુશ્કેલ છે કે ઈદ્રભૂતિ ગૌતમનું કયું ગોત્ર હતું? તેઓ કયા કષિવંશ સાથે સંકળાયેલા હતા ? પરંતુ એટલું તે સ્પષ્ટ છે કે ગૌતમ ગોત્રના મહાન ગૌરવને અનુરૂપ એમનું વ્યક્તિત્વ વિરાટ તથા પ્રભાવશાળી હતું. દૂર દૂર એમની વિદ્વત્તાની ધાક હતી. પાંચ છાત્રો એમની પાસે અધ્યયન કરવા રહેતા હતા. એના વ્યાપક પ્રભાવથી પ્રભાવિત થઈને જ મિલાયે મહાયજ્ઞનું નેતૃત્વ એમના હાથમાં સેંચ્યું હતું. પચાસ વર્ષની ઉંમરે પિતાના પાંચસો છાત્રોની સાથે એમણે પ્રવજ્યા ગ્રહણ કરી, ત્રીસ વર્ષ સુધી છમસ્થ રહ્યા અને બાર વર્ષે જીવમુક્ત કેવલી ગુણશીલ ચૈત્યમાં માસિક અનશન કરીને બાણું (૨) વર્ષની ઉંમરે તેઓ નિર્વાણ પામ્યા.૭ ૨, અગ્નિભૂતિ અગ્નિભૂતિ, ઈદ્રભૂતિ ગૌતમના વચેટ ભાઈ હતા. બેંતાલીસ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી, બાર વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં તપ–જપ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. સેળ વર્ષ સુધી કેવવી અવસ્થામાં વિચરણ કરીને ભગવાન મહાવીરના નિર્વાણ પૂર્વે બે વર્ષ ४. जे गोयमा ते सत्तविहा पण्णत्ता तं जहा ते गोयमा ते गग्गा ते भारदा, ते અંગિરસ, તે સંવરમ, તે મુઠ્ઠીમાં તે સત્તામાં સ્થાનાંગ ૭, ૫૫૧ ૫. ઋગ્વદ ૧,૬૨,૧૩ વૈદિક કેશ પૃ. ૧૩૪ ૬. ભારતીય પ્રાચીન ચરિત્ર કેશ પૃ. ૧૯૩–૧૯૫ ૭. (ક) આવશ્યક નિયુક્તિ ૬૫૫ (ખ) આવશ્યક મલય. p. ૩૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy