SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ : ૩ ગણધરને પરિચય મધ્યમ પાવાના સમવસરણમાં અગિયાર વિદ્વાનોએ ભગવાન સમક્ષ પોતાની શંકાનું સમાધાન કરી દીક્ષા લીધી હતી. આ વિદ્વાને ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય કહેવાયા. પિતાની અસાધારણ વિદ્વત્તા અનુશાસન-કુશલતા તથા આચારદક્ષતાને કારણે તેઓ ભગવાનના ગણધર બન્યા. ગણધર ભગવાનના ગણ(સંઘ)ના સ્થંભરૂપ હોય છે તેઓ તીર્થકરોની અર્થરૂપ વાણીને સૂત્રરૂપમાં ગ્રથિત કરનાર કુશલ શબ્દશિલ્પી હોય છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધરો હતા. જેમનો પરિચય નીચે આપવામાં આવ્યે છે. ૧. ઇન્દ્રભૂતિ ઈદ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય હતા. મગધની રાજધાની રાજગૃહની પાસે આવેલ ગેબરગામ એમની જન્મભૂમિ હતી. જે આજે નાલંદાને જ એક વિભાગ ગણાય છે. એના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વી હતું. એમનું નેત્ર ગૌતમ હતું. ગૌતમને વ્યુત્પત્તિજન્ય અર્થ કરતાં જૈનાચાર્ય લખે છે બુદ્ધિ દ્વારા જેને અંધકાર નષ્ટ થઈ ગયું છે તે ગૌતમ. આમ તો ગતિમ શબ્દ કુલ અને વંશને વાચક છે; સ્થાનાંગમાં સાત પ્રકારના ગીતમ १. मगहा गुब्बरगामे जाया तिन्नेव गोयमसगुत्ता । આવશ્યક નિયુક્તિ ગા. ૬૪૩મું ૨. (ક) આવશ્યક નિયુક્તિ ગા. ૬૪૭-૪૮ (ખ) માઘાન ત્રયા વાળમૃતા પિતા વસુભૂતિઃ બાનાં સ્થાન પામૃત માતા પૃથિવી ! –આવશ્યક મલય ૨૩૮. ૩. શૌમિસ્તમો સ્વતં ય –અભિધાન રાજેન્દ્રકોષ, ભા. ૩. ગૌતમ શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy