SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક દષ્ટિથી નિર્વાણકાલ ૭૬૧ ડો. હીરાલાલ જૈન,૩૨ મહામહોપાધ્યાય પં. વિશ્વેશ્વરનાથ રે,૩૩ મુનિશ્રી કલ્યાણવિજયજી,૩૪ મુનિશ્રી ઇન્દ્રવિજ્યજી,૩૫ ડે. મુનિનગરાજજી,' આદિ બધા ઈતિહાસગ્ન વિદ્વાનોએ અસંદિગ્ધપણે ઈસવી પૂર્વે પર૭ મું વર્ષ માન્યું છે. આ અંગે બીજું એક પ્રબલ પ્રમાણ એ પણ છે કે ઈતિહાસની દષ્ટિએ ચન્દ્રગુપ્તનું રાજ્યારોહણ ઈ. પૂ. ૩૨૨માં માનવામાં આવ્યું છે. ઈતિહાસકારે એ સ્પષ્ટ મત છે કે ઈતિહાસના પ્રસ્તુત અંધકારપૂર્ણ વાતાવરણમાં તે એક પ્રકાશસ્તંભ સમાન છે.૩૭ આ સમયને બધા વિએ માન્ય કર્યો છે. એને કેન્દ્રબિન્દુ માનીને ઈતિહાસ શતાબ્દીઓ પૂર્વેની અને શતાબ્દીએ બાદની ઘટનાઓને સમય પકડાતે રહ્યો છે. જેમ સાહિત્યમાં આચાર્ય મેરૂતુંગની “વિચાર–શ્રેણિ”, તિલ્થગાલી પેઈન્મય તથા તિદ્વાર પ્રકીર્ણ વગેરે પ્રાચીન ગ્રંથમાં ચન્દ્રગુપ્તનું રાજ્યારોહણ મહાવીર નિર્વાણનાં ૨૧૫ વર્ષ પછી માનવામાં આવ્યું છે. એ રાજ્યારોહણ એમણે અવંતીનું માન્યું છે. તે એક સત્ય તથ્ય છે કે ચન્દ્રગુપ્ત મૌર્યે પાટલીપુત્રમાં (મગધ) રાજ્યારોહણ કર્યા પછી દશ વર્ષ બાદ અવંતીમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું ૩૨ તરવસમુચ્ચય પૃ. ૬ ૩૩ ભારતને પ્રાચીન રાજવંશ, ખંડ ૨, પૃ. ૪૩૬ ૩૪ વીર નિર્માણ સંવત ઔર જૈન કાલગણના પૃ. ૧૨-૧૩ ૩૫ તીર્થકર મહાવીર ભાગ ૨, પૃ. ૩૧૯-૩૨૪ ૩૬ આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન ૩૭ (ક) Dr. Radha Kumud Mukherjee, Chandragupta Mourya and his times, pp. 44-6 (ખ) ભારતના બૃહદ્ ઇતિહાસ, પ્રથમ ભાગ, પ્રાચીન ભારત, ચતુર્થ સંરકરણ પૃ. ૩૪૨ 24 Radha Kumud Mukherjee, Chandragupta Mourya and his times, p. 3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy