SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરઃ એક અનુશીલના જ્યારે કોઈ વખતે કોઈ જૈનદર્શન પર આક્રમણ કરતો ત્યારે તેઓ એના તને સચોટ ઉત્તર આપતા હતા. (૭) આ વિભાગમાં સંપૂર્ણ સાધુ સમુદાય હતે કે જે અધ્યયન, તપસ્યા, ધ્યાન, સેવા આદિ વિશિષ્ટ સાધુઓની સેવા કર્યા કરતા હતા. ભગવાન મહાવીરના શ્રમણ અને શ્રમણ સંઘની વ્યવસ્થા–પદ્ધતિ ખૂબ એગ્ય હતી. એમના જીવનકાલમાં તે એકાત્તાધીન હતા. ચૌદ હજાર શ્રમ અને છત્રીસ હજાર શ્રમણએના વિશાળ સમુદાયમાંથી ત્રીસ વર્ષ દરમ્યાન ફક્ત બે સાધુઓમાં જ મહાવીરના સિદ્ધાંત અંગે મત–ભેદ થયું હતું. એમાં એક જમાલી હતા જે મરે ભગવાનના કૈવલ્યના ૧૪ વર્ષ પછી શ્રાવસ્તીથી બહુતરવાદની સ્થાપના કરવા માટે અલગ કરવામાં આવ્યા હતા. બીજા તિષ્યગુપ્ત હતા. જેમને મહાવીરના કૈવલ્યના ૧૬ વર્ષ બાદ રાજગૃહ (ષભપુર)માં જીવપ્રાદેશિકવાદના સ્થાપક હેવાને કારણે શ્રમણસંઘમાંથી અલગ કરવામાં આવ્યા હતા. આ પ્રમાણે ભગવાનને શ્રમણ-સંઘ ખૂબ જ વ્યવસ્થિત હતે. એટલે જૈન સાહિત્યમાં એમને ધર્મચકવર્તી કહેવામાં આવ્યા છે. મહાવીર અને બુદ્ધના નિર્વાણ પર તુલનાત્મક દષ્ટિ ભગવાન મહાવીર અને તથાગત બુદ્ધના નિર્વાણ પ્રસંગને જે આપણે તુલનાત્મક દષ્ટિએ અભ્યાસ કરીએ તે સહજપણે જ્ઞાન થશે કે બન્નેમાં સારા પ્રમાણમાં સમાનતા છે. ભગવાન મહાવીરનું નિર્વાણ પાવામાં થયું, તે તથાગત બુદ્ધનું નિર્વાણ પાવાથી ફક્ત ત્રણ કેસ દૂર આવેલા કુસિનારામાં થયું. ભગવાન મહાવીર વિષયક ૧ સ્થાનાંગ સૂત્ર ૭, ૫૮૭ની ટીકા २ पावानगर तो तीणि गावुतानि कुसिनारानगर । –દીવ-નિકાયઅઠ્ઠકથા (સુમંગલ વિલાસની). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy