SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૨ ભગવાન મહાવીરઃ એક અનુશીલન તત્વચર્ચાઓ શિવરાજર્ષિ હસ્તિનાપુરને રાજા શિવ પરમ સંતોષી અને ધર્મનિષ્ઠ રાજા હતું. એક દિવસે અર્ધરાત્રિએ એની ઊંઘ ઊડી ગઈ. વિચારવા લાગ્યો–મારી પાસે વિપુલ વૈભવ છે, પુત્ર, પશુ, રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, કોષ વગેરે બધી વાતને આનંદ છે. પૂર્વકૃત કર્મોનું ફળ મને પ્રાપ્ત થયું છે. હવે મારે ભવિષ્ય માટે પણ કંઈક કરવું જોઈએ. કાલ પ્રાત:કાલે જ લેહમય કડાઈ, કડુછુય અને તામ્રીય ભાજન બનાવીશ. અને કુમાર શિવભદ્રનો રાજ્યાભિષેક કરી, લેઠી, લેહકડાહ, કહુછય અને તામ્ર-ભાજન લઈને ગંગાતટવાળી દિશા પ્રેક્ષક વાનપ્રસ્થ તાપસોની સમીપ જઈને તાપસી પ્રવ્રયાને સ્વીકાર કરીને એ પ્રતિજ્ઞા કરીશ કે “ આજથી જીવન પર્યન્ત દિશા–ચક્રવાલ તપ કરીશ.” - પ્રાત: થ એટલે શિવે પિતાના અનુચરને બોલાવી બધી તૈયારી કરાવી અને યુવરાજ શિવભદ્રને રાજ્યાભિષેક કર્યો. પિતાના બધા સ્વજનેને ભેજન માટે આમંત્રિત કર્યા. એમને યોગ્ય સત્કાર કરી અને એમની અનુમતિ લઈ લોઢી, લોહકડાહ, કડુછય, તામ્ર ભાજનાદિ ગ્રહણ કરી તે દિશા–પ્રેક્ષક તાપસ થઈ ગયેલું અને પિતાની પ્રતિજ્ઞા અનુસાર છઠ્ઠ છઠ્ઠથી દિશા ચકવાલ તપ કરવા લાગ્યું. પ્રથમ છઠ્ઠ તપ પૂર્ણ થયે એટલે વલ્કલ ધારણ કરેલા શિવરાજર્ષિ તપભૂમિથી પિતાની કુટિરમાં આવ્યા અને કિઢિણ– સાંકાયિકા તાપસેના ઉપગમાં આવનાર વાંસનાં પાત્ર અને કાવડ લઈને પૂર્વ દિશાનું પ્રક્ષણ કરીને બેલ્યા-સમ દિશાના ૧. શિવઃ શિસ્તનાપુર રાગ –સ્થાનાંગસૂત્ર, સટીક ઉત્તરા, પત્ર પ૩૧ ૨. ભગવતી સૂત્ર સટીક, શ. ૧૧, ઉ. ૯, પત્ર ૯૫૪-૯૫૮ 3. दिसापोक्खिणों, त्ति उदकेन दिशः प्रोक्ष्य ये फलपुष्पादि समुचिन्वति ।. -ભગવતી સૂત્ર. સટીક પત્ર ૫૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy