SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ શ્રાવસ્તીમાં જ અચંપુલ આજીવકે પાસક રહેતું હતું. રાત્રિમાં ચિંતન કરતાં એના મગજમાં વિચાર આવ્યું કે હલ્લા વનસ્પતિનો આકાર કે હોય છે? તે પિતાના ધર્માચાર્ય ગોશાલક પાસે એનું સમાધાન કરવા માટે હાલાહલ કુંભકારાપણુમાં આવ્યું, પણ ગાશાલકને હસતે, ગાતે, નાચતો અને મદ્યપાન કરતો જોઈને તે લજિત થ, અને પાછા ફરવા લાગ્યું. બીજા આજીવક સ્થવિરોએ તેને પાછો ફરતો જોઈ લીધે, એમણે એને પાસે બોલાવી આઠ ચરમ વસ્તુ એનો પરિચય આપતાં કહ્યું-તું જઈને તારા પ્રશ્નનું સમાધાન કરે. સ્થવિરેના સંકેતથી શૈશાલકે ગોટલી એક બાજુ રાખી દીધી અને કહ્યું–તું હલ્લાની આકૃતિ જાણવા માટે મધ્ય રાત્રિએ મારી પાસે આવે છે, પણ મારી આ સ્થિતિ જોઈને લજજા પામી પાછા ફરવા માગે છે, પણ તારી એ ભૂલ છે. મારા હાથમાં કાચી કેરી નહીં, પણ કેરીની છાલ છે. નિર્વાણ સમયે એ પીવી આવશ્યક છે. નિર્વાણના સમયે નૃત્ય, ગીત આદિ પણ આવશ્યક છે, એટલે તું પણ વીણા બજાવ. અયપુલ, હલ્લાનું સંસ્થાન વાંસના મૂળ જેવું હોય છે. પોતાના પ્રશ્નનું સમાધાન મેળવી તે પાછો ફરી ગયે. ગેશાલકને પશ્ચાત્તાપ ગોશાલકે પિતાને અંતિમ સમય સમીપ આવેલો જાણી પિતાના સ્થવિરેને બેલાવી કહ્યું—“જ્યારે મારું મૃત્યુ થઈ જાય ત્યારે મારા શરીરને સુગંધિત જળથી નવડાવજે, સુગંધિત ગેરુ વસ્ત્રથી લૂછજો, ગશીર્ષ ચંદનને લેપ કરે, બહુમૂલ્ય વેત વસ્ત્ર પહેરાવજો અને બધા અલંકારથી વિભૂષિત કરો. એક હજાર વ્યક્તિ ઉઠાવી શકે, એ પ્રમાણેની શિબિકામાં બેસાડીને શ્રાવસ્તીમાં આ જ પ્રમાણે ઉદ્ઘેષણ કરાવજે કે ચોવીસમા ચરમ તીર્થંકર પંખલિપુત્ર ગૌશાલક જિન થયા, સિદ્ધ થયા, વિમુક્ત થયા અને બધાં દુઃખોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy