SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૫ જમાલિ અને ગોશાલકને વિદ્રોહ પણ થયેલું છે. ૧૨ સામંજલ સૂત્ર અનુસાર બુદ્ધના પ્રથમ દર્શનમાં જ તે બુદ્ધ ધર્મનો સ્વીકાર કરી લે છે. ૧૩ બુદ્ધનાં અસ્થિઓ પર સૂપ બનાવવા માટે, જ્યારે બુદ્ધના ભસ્માવશેષ વહેંચાવા લાગ્યા એ સમયે અજાતશત્રુએ કુશીનારાના મલ્લે દ્વારા કહેવડાવ્યું—“બુદ્ધ પણ ક્ષત્રિય હતા. હું પણ ક્ષત્રિય છું. અવશેષોનો એક ભાગ મને પણ મળી જોઈએ.” દ્રોણ વિપ્રની સલાહથી એને એક અસ્થિભાગ મળે અને એણે એના પર એક પ બનાવ્યું.”૧૪ પ્રશ્ન એ છે કે અજાતશત્રુ કૃણિક જૈન હતા કે બુદ્ધ હતા? ઔપપાતિકનું જે વર્ણન છે, એની સામે સામંજફલ સૂત્રનું વર્ણન મહત્વપૂર્ણ લાગતું નથી. કેમકે સામંજફલ સૂત્રમાં કેવળ એટલું જ વર્ણન મળે છે કે “આજથી ભગવાન મને અંજલિબદ્ધ શરણાગત ઉપાસક સમજે પરંતુ પપાતિકમાં કૃણિકની મહાવીર પ્રતિ અનન્ય ભક્તિ પ્રદર્શિત કરવામાં આવી છે. એણે એક પ્રવૃત્તિ–વાદુક વ્યક્તિની નિયુક્તિ કરી હતી. એનું કાર્ય એ હતું કે મહાવીરની દરરોજની પ્રવૃત્તિથી એને જ્ઞાત કરતા રહે. એની નીચે અનેક કર્મક કાર્ય કરતા હતા. તેઓ પણ આજીવિકા મેળવતા હતા. એના માધ્યમથી મહાવીરના પ્રતિદિનના સમાચાર એ પ્રવૃત્તિ–વાદક પુરુષને મળતા અને તે એ કૃણિકને જણાવતો. ૧૫ એને વિપુલ અર્થદાન આપવામાં આવતું. પ્રવૃત્તિવાદુક દ્વારા સમાચાર સાંભળીને ભકિતભાવનાથી અભિવંદન કરવા, ઉપદેશ સાંભળવા જેવું અને નિગ્રંથ ધર્મ પર શ્રદ્ધા વ્યકત કરવી. આ ૧૨. ઔપપાતિક સુત્ર સૂત્ર ૩૪-૩૭ના આધાર પરથી १३ एसाह भन्ते, भगवन्त-सरण गच्छामि धम्म च भिक्खु सङ्घ च । उपासक म भगवा धारेतु अज्जतग्गे पाणुपेत सरण गति । -સામજફલ સૂત્ર ૧૪. બુદ્ધચય પૃ. ૫૦૯ ૧૫ ઓ પ પાતિક સૂત્ર . ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy