SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ આય સ્કન્દક સિદ્ધિ સાન્ત છે કે અનંત છે? કેવી રીતે મરણ પામીને જીવ સંસારને ઘટાડે છે કે વધારે છે ? પ્રશ્ન સાંભળીને સ્કન્દકેશ કાશીલ થઈ ગયા. તે અસમ જસમાં પડી ગયેા. તે ઉત્તર આપવા માગતા હતા, પણ શુ' ઉત્તર આપવા એ એની સમજમાં જ આવતું ન હતું. વિચારમગ્ન સ્કન્દ્રક ઉત્તર પ્રદાન ન કરી શકયો. તે મૌન રહ્યો. પિગલે આક્ષેપ સહિત પોતાના પ્રશ્ન ફરી ફરી દુહરાવ્યા. શંકિત અને કાંક્ષિત સ્કન્દુક કાંઈ પણ ખેલી શકયો નહીં. એણે પોતાના ઉત્તર પર અવિશ્વાસ હતેા, એટલે એની બુદ્ધિ સ્ખલિત થઈ ગઈ. એની સ્વ-આગમ શ્રદ્ધા વિચલિત થઈ ગઈ અને તે એનું સમાધાન મેળવવા આતુર ખની ગા. એ સમયે જન-સમૂહ ભગવાન મહાવીરના દન માટે ઊમટી રહ્યો હતા. જનતાના મુખે સ્કન્દકે પણ છત્રપલાશકમાં મહાવીરના આગમનના સમાચાર સાંભળ્યા. મનમાં વિચાર ઊઠયો એ કેટલુ સુંદર છે જો હું મહાવીર પાસે જાઉં અને આ પ્રશ્નોનું સમાધાન કરું. દઢ સંકલ્પ કરી તે પરિાજકાશ્રમ ગયેા. ત્રિદંડ, કુંડી, રુદ્રાક્ષ માલા, માટીનું પાત્ર, આસન, પાત્ર-પ્રમાનના વસ્ત્ર-ખંડ, ત્રિકાષ્ટિકા, અંકુશ, કુશની મુદ્રિકા જેવી વસ્તુ, કલઈનું એક પ્રકારનું આભૂષણુ, છત્ર, ઉપાનહ, પાદુકા, ગૈરિક વસ્ત્ર આદિ યથાસ્થાન ધારણ કરી યંગલા નગરી તરફ પ્રસ્થાન કર્યું.. એ સમયે ભગવાન મહાવીરે ગણધર ગૌતમને કહ્યુ -ગૌતમ, તું આજ પોતાના પૂર્વ પરિચિતને જોશે ! ૨૧ ગૌતમ-ભન્તે, હું કયા પૂર્વ પરિચિતને જોઈશ ? મહાવીર કાત્યાયન ગેાત્રીય સ્કન્દ્રક પરિવ્રાજકને.૪ ગૌતમે ફ્રી જિજ્ઞાસા પ્રસ્તુત કરી-ભન્તે! તે પરિવ્રાજક મને કયારે અને કેવી રીતે મળશે ? ४. दच्छसि गोयमा । पुत्र संगयं । कं णं भंते १ ख दय' नाम Jain Education International For Private & Personal Use Only –ભગવતી ૨, ૧ www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy