SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય સ્કન્દક પછીથી તાણને મુખ પર ગાંઠ દે પછીથી વચલી ગાંઠ છેડી નાખે તે તે પાણી નીચેની હવા પર જમા થશે. ગૌતમ-હા ભગવાન, પાણી હવા પર જમા થશે. મહાવીર–આકાશની ઉપર હવા, હવા પર પાણી વગેરે આ કમથી રહે છે. હે ગૌતમ, કોઈ વ્યક્તિ મશકને હવાથી ભરીને એને પિતાની કમર પર બાંધી દે અને જલમાં ડૂબકી મારે તે તે ઉપર જ રહેશે કે પાણીમાં ડૂબી જશે? ગૌતમ-હા, ભગવન, તે ઉપર રહેશે. મહાવીર–એ પ્રમાણે આકાશ પર હવા અને હવા પર પાણી પ્રતિષ્ઠિત છે. આ પ્રમાણે જ્ઞાનની ગંગા વહેવડાવતા ભગવાને પ્રસ્તુત વર્ષાવાસ રાજગૃહમાં વ્યતીત કર્યો. આર્ય સ્કન્દક ભગવાને રાજગૃહથી પશ્ચિમેત્તર પ્રદેશની તરફ પ્રસ્થાન કર્યું. અનેક ગામમાં ધર્મ પ્રચાર કરતા કરતા કૃદંગલા નામની નગરીમાં પધાર્યા અને છત્રપલાસ ચૈત્યમાં બિરાજ્યા. ભગવાનનું પ્રવચન સાંભળવા માટે જન-સમૂહ ઊમટી પડયો. કૃતિંગલાની સમીપમાં જ શ્રાવસ્તી નામનું નગર હતું. ત્યાં કાત્યાયન નામને પરિવ્રાજકનો શિષ્ય સ્કંદક નામનો પરિવ્રાજક રહેતું હતું. તે ચારેય વેદ, ઈતિહાસ, નિઘંટુ અને ષષ્ટિતંત્ર ૬. ભગવતી ૧, ૬ 1. પરિવ્રાજક ભિક્ષાથી આજીવિકા કરનાર સાધુ-નિરુક્ત ૧, ૪ વૈદિક કેશ, જૈન આગમમાં અને ઉત્તરવતી સાહિત્યમાં તાપસ, પરિવ્રાજક, સંન્યાસી આદિ અનેક પ્રકારના સાધકોનું વિસ્તૃત વર્ણન મળે છે. એને માટે ઔપપાતિક સૂત્ર, સૂત્રકૃતાંગ નિયુક્તિ, પિંડનિયુકિત, ગા. ૩૧૪, બૃહતક૯૫ ભાષ્ય ભાગ ૪, પૃ. ૧૧૭૦, નિશીથ સૂત્ર સભાષ્ય ચૂર્ણિ ભાગ ૨, અને ભગવતી સૂત્ર ૧૧,૯ આવશ્યક ચૂણિ પૃ. ૨૭૮, ધમ્મપદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy