SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ ભગવાન મહાવીર :એક અનુશીલન એકવાર સદ્દાલપુત્ર મધ્યાહુને પિતાની અશેકવાટિકામાં ગોશાલક પાસે સ્વીકારેલી ધર્મપ્રજ્ઞપ્તિને ગ્રહણ કરીને બેઠા હતા, ત્યારે કઈ દેવે પ્રગટ થઈને કહ્યું–સદાલપુત્ર કાલે સવાર સર્વજ્ઞ સર્વદશ મહાબ્રાહ્મણ પધારશે. એની પાસે જઈને એમને પ્રતિહારક, શય્યા, પીઠફલકાદિ માટે આમંત્રિત કરજે. આ સાંભળતા જ સદાલપુત્ર સાવધાન થઈ ગયે. એને વિચાર્યું સવારમાં મારા ધર્માચાર્ય ભગવાન મખલીપુત્ર પધારશે. કેમકે તેઓ જ વર્તમાન સર્વજ્ઞ છે અને મહા બ્રાહ્મણ છે. તે સવારમાં વહેલે ઊડ્યો. અને આવશ્યક કાર્યોથી પરવારી, પિતાના ધર્માચાર્ય પાસે જવાની તૈયારી કરવા લાગ્યું. ત્યારે એણે સાંભળ્યું પિલાસપુરની બહાર શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, એના મનને ઉત્સાહ શાંત થઈ ગયે. પણ બીજી જ પળે દેવવાણું યાદ આવી. તે જલદીથી જ્યાં ભગવાન મહાવીર રોકાયા હતા, ત્યાં પહોંચે. ધર્મ-દેશના પૂર્ણ થયા પછી ભગવાન મહાવીરે કહ્યું-ભદ્ર, કાલે મધ્યાહુને અશોકવાટિકામાં ફરતાં એવા તને કોઈ દેવે મહામાહનનાં દર્શન વગેરે અંગે પ્રેરણા આપી હતી. તું એ પ્રેરણાથી પ્રેરાઈ અહીં આવ્યું છે ને?” તે પિતાના મનભાવની અભિવ્યક્તિને સાંભળી ચકિત થયે. એણે વિનયપૂર્વક જણાવ્યું–ભગવાન ! શય્યા, ફલકાદિ પ્રસ્તુત છે, ગ્રહણ કરવાનો અનુગ્રહ કરે. પોલાસપુરની બહાર મારી પાંચ દુકાન છે, આપ ત્યાં પધારો.” ભગવાન એની પ્રાર્થનાને સ્વીકાર કરી ત્યાં પધાર્યા. ભગવાનને પિતાની ભાંડશાલામાં ભાવી પીઠ-ફલકાદિ પ્રતિહારક અર્પણ કરી તે પિતાના કાર્યમાં પડ્યો. તે ભાંડશાલામાં એ કેટલાક સૂકાં વાસણોને તડકામાંથી છાયામાં અને છાયામાંથી તડકામાં રાખતો હતો. તે પિતાના કાર્યમાં તલ્લીન હતો. એ વખતે એને પ્રતિબોધ આપવા માટે ભગવાને પૂછ્યું-“સદ્દાલપુત્ર! આ વાસણે કેવી રીતે બન્યાં ? કયાંથી આવ્યાં ? સફાલપુત્ર–આ પહેલાં માટી (રૂપે) હતાં. એને પાણી વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy