SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ પર ભગવાન મહાવીરઃ એક અનુશીલન જે વચનથી પાપને ઉત્તેજના મળે છે, તે વચન કદી પણ બોલવું જોઈએ નહીં. આ પ્રમાણે તત્ત્વશૂન્ય વાણુ ગુણેથી રહિત છે. ભિક્ષુઓને તે આ પ્રકારની વાણી કદી પણ બોલવી જોઈએ નહીં. આદ્રક મુનિની તર્કયુક્ત વાત સાંભળી બૌદ્ધ ભિક્ષુ નિરુત્તર થઈ ગયે. વેદવાદી બ્રાહ્મણ આગળ વધ્યું. એણે કહ્યું – વેદવાદી બ્રાહ્મણ વેદવાદી-“જે દરરોજ બેહજાર સ્નાતક બ્રાહ્મણને ભેજન કરાવે છે, તે પુણ્યને સમૂહ એકઠે કરી દેવગતિમાં ઉત્પન્ન થાય છે–એવું અમારું વેદવાક્ય છે. આદ્રકમુનિ-બિલાડાની માફક ઘરઘર ભટકનાર, બેહજાર નાતકેને જે ખવડાવે છે, તે માંસાહારી પક્ષીઓથી પરિપૂર્ણ, તીવ્ર વેદનામય નરકમાં જાય છે. દયાધર્મને ત્યાગ કરી, હિંસા-પ્રધાન ધર્મને સ્વીકાર કરનાર, શીલરહિત બ્રાહ્મણને જે ખવડાવે છે, તે અંધકારયુક્ત નરકમાં ભટકે છે. ભલેને તે રાજા પણ કેમ ન હોય, તે સ્વર્ગમાં જઈ શકતો નથી. આદ્રકમુનિને કઠોર અને સ્પષ્ટ ઉત્તર સાંભળી વેદવાદી બ્રાહ્મણ કંઈ પણ બોલી શક્યો નહીં. આત્માદ્વૈતવાદીએ આદ્રકમુનિને કહ્યું. આત્માદ્વૈતવાદી આત્માદ્વૈતવાદી –આકમુનિ ! આપને અને અમારે ધર્મ સરખે છે. તે ભૂતમાં પણ હતું અને ભવિષ્યમાં પણ રહેશે. આપના ૫ ટીકાકાર આચાર્ય શીલાંકે (૨, ૬, ૪૯માં) એને એકદંડી જણાવ્યું છે. ડો. હરમન જેકોબીએ પોતાના અંગ્રેજી અનુવાદમાં (S.B.E. Vol. XIV. P. 474 માં) એને વેદાંતી કહ્યો છે. પ્રસ્તુત માન્યતા જોતા ડો. જેકાખીને અર્થ સંગત લાગે છે. ટીકાકારે પણ આગળની ગાથામાં એ જ અર્થને સ્વીકાર કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy