SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિકની જિજ્ઞાસા ૫૭૫ સમ્રાટ શ્રેણિક, મહામંત્રી અભયકુમાર આદિ આભિજાત્ય વર્ગના યશસ્વી અને વર્ચસ્વી વ્યક્તિઓ ધર્મનો ઉપદેશ શ્રવણ કરી રહી હતી. ત્યાં કાલશૌકરિક કસાઈ પણ મનના કેઈ વિચિત્ર પ્રકારના કુતૂહલ ઉકેલ માટે બેઠે હતે. કેટલાય કથાકારોનું એવું મંતવ્ય છે કે તે સમવસરણની પાસે કઈ બહારની જગ્યા પર બેઠે હતે. ભગવાનની પીયૂષવષી પ્રવચનગંગા વહી રહી હતી એટલામાં અચાનક કોઈ વૃદ્ધ પુરુષ કે જેનું શરીર જર્જરિત હતું, કુષ્ઠ રેગથી પીડાયેલો હતો. ફાટેલા-તૂટેલાં જૂનાં વસ્ત્રો શરીર પર લપેટેલાં હતાં તે લાકડીની મદદ વડે સભાને વીંધીને આગળ આવ્યું. સમ્રાટની તરફ મુખ કરી એમને અભિવાદન કર્યું, સમ્રાટ ! ચિરંજીવી થાવ.” સમવસરણની પાટલાય કથાકારચિત્ર પ્રકારના આ વિચિત્ર વૃદ્ધ તરફ બધાની આંખ મંડાઈ. કેટલો અસભ્ય છે ! ભગવાન તરફ પીઠ કરીને રાજાને નમસ્કાર કરી રહ્યો છે ! એ પળે વૃદ્ધ ભગવાન તરફ ફરી નમસ્કાર કરતાં કહ્યું-તું શીવ્ર મરી કેમ જતો નથી ? વૃદ્ધના મેંમાંથી આ શબ્દ સાંભળી આખી સભામાં એક પ્રકારની હલચલ મચી ગઈ. રાજા શ્રેણિકની ભ્રમરે ખેંચાઈ ગઈ. પરંતુ એ તે ભગવાનની ધર્મસભા હતી, રાજાને પણ કેઈને રોકવાને કેઈ અધિકાર ન હતું. અહીં તે ધનિક અને ગરીબ બધા સમાન હતા. ૧ ત્રિષષ્ટિશાલાકા પુરૂષ ચરિત્રમાં ભગવાન, શ્રેણિક અભય અને કાલશિકરિકને છીંક આવવાની વાત લખવામાં આવી છેઅત્રાન્તરે જિનેન્દ્રમાં સુતે પ્રોવાર ઃિ | निम्नस्वेत्यथ जीवेति श्रेणिकेन क्षुते सति॥ क्षुतेऽभयकुमारेण जीव वा त्व म्रियस्व बा । कालसौकरिकेणापि क्षुते मा जीव, मा मृथाः ॥ -ત્રિષષ્ટિ. ૧૦, ૯, ૬૩–૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy