SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૪ ભગવાન મહાવીર : એક અનુશીલન હતા. તે એક રાજા જેવા હતા. એના આશ્રિત પાંચસો હાથી-હાથિણીએ હતાં. આ વિશાળ હસ્તિકુળને તે પ્રિય નાયક અને અભિ ભાવક હતા. એક વાર જગલમાં ભયંકર આગ લાગી. લીલાંછમ વિશાળ વૃક્ષા પણ મીણુમત્તીની માફક ભડભડ બળી ગયાં. અગ્નિની લપકતી જવાળાએ આકાશને ચુખવા લાગી. આકાશમાં પક્ષી પણ ઊડી રહ્યાં હતાં. તે પણ આ ઊઠતી એવી જ્વાળાઓમાં અને ઊછળતા એવા તણખાથી મળીને ભસ્મ થવા લાગ્યાં. પશુઓની દશા ખૂબ દયાજનક હતી. તે ખળતી જ્વાળાએ ચારે તરફ એવી રીતે ફેલાઈ રહી હતી કે જાણે કે ખુદ યમરાજ હજારા હાથ ફેલાવીને સંસારને હડપ કરવાને મચી પડયા ન હોય! સુમેરુપ્રભના જૂથના અનેક હાથી આ દાવાનળમાં મળી ગયા હતા. દાવાગ્નિ શાંત થયું. આ વિનાશલીલાને નિહાળીને સુમેરુપ્રભ હાથીનું મન ચિ`તિત થઈ ગયું. એને એના પૂર્વભવની સ્મૃતિ જાગૃત થઈ. તે એના પૂર્વભવમાં હાથી હતા. વારંવાર પોતાના પરિવાર અને પેાતાના જીવનને બળતા જોઈને તે દાવાગ્નિથી એની રક્ષાને ઉપાય વિચારવા લાગ્યા. એવા કા ઉપાય થઈ શકે કે જેનાથી દાવાનલની ભયંકર જવાળા અનેા વાળ વાંકો ન કરી શકે. સુમેરુપ્રભે નદીકિનારે એક વિશાળ મંડલ બનાવ્યેા. લાંખા અંતર સુધી વૃક્ષ છોડ, ઝાડ-ઝાંખરા ઉખાડી ઉખાડીને જંગલને બિલકુલ સાફ કરી નાંખ્યું. કાઈ પણ જગ્યાએ ઘાસનું એક તણખલું પણ રહેવા ન દીધું. આ પ્રમાણે વિરાટ મંડલનું નિર્માણ કરી સુમેરુ પ્રભ આનંદથી રહેવા લાગ્યું. ક્રીથી એકવાર જંગલમાં ભયંકર દાવાનળ સળગી ઊઠયો. જંગલનાં અન્ય પ્રાણીએ પણ આગથી ખચવા માટે આમ તેમ દોડતાં પેલા મંડલમાં આવીને એકઠાં થવા લાગ્યાં. હાથી, સિંહ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy