SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન આશ્ચર્યની વાત એ છે કે ભગવાનનો પ્રથમ ઉપસર્ગ પણ કર્યા રગ્રામમાં એક ગોવાળ વડે પ્રારંભાયે હતો. અને આ અંતિમ ઉપસર્ગ પણ એક ગોવાળ દ્વારા જ ઉપસ્થિત કરવામાં આવ્યું. ગોવાળની ભાવના અશુભ હોવાથી તે સાતમી નારકીમાં ગયે. અને ખરક વૈદ્ય અને સિદ્ધાર્થની ભાવના શુભ હોવાથી તેઓ દેવલેકમાં ગયા.' ભગવાનને સાધનાકાળમાં અનેક ઉપસર્ગો આવ્યા. પણ તેઓ ઉપસર્ગોમાં સર્વદા શાંત રહ્યા. કઈ પણ વખતે એમણે રેષ અને હૈષ કર્યો નહીં. વિરોધીઓ તરફ પણ એમના હૃદયમાં સ્નેહને સાગર ઉભરાતે હતે. વરસાદમાં, ઠંડીમાં, તડકામાં, છાયામાં, આંધીમાં અને તેફાનમાં પણ એમને સાધના-દીપ ઝગમગતે રહ્યો. દેવ, દાનવ, માનવ અને પશુઓ દ્વારા ભીષણ કષ્ટ આપવા છતાં પણ એમણે અદીન ભાવથી, અવ્યથિત મનથી, અશ્લાન ચિત્તથી, મન, વચન અને કાયાને વશ રાખી આ બધું સહન કર્યું. તેઓ વીર સેનાપતિની માફક નિરંતર આગળ વધતા રહ્યા. કદી પણ પીછેહઠ કરી નહીં. મહાવીરનું તપ નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુને એ અભિપ્રાય છે કે અન્ય ५. एवं गोवेण आरद्धा उवसग्गा चेव निहिता । गावो सत्तमि गतो, खरता य सिद्धतो य दिपलोग तिव्वमपि उदीरत तावि सुद्यदभावा । – આવ. ચૂર્ણિ, પૃ. ૩૨૨ ६. () एवं विहरमाणस्स जे केइ उवसग्गा समुपज्जिसु दिव्वा वा माणुसा वा तेरिछिया वा, ते सव्वे उसग्गे समुप्पन्ने समाणे अवाइले अव्वहिए अदीण माणसे तिविहमणवयणकायगुत्ते सम्म सहइ हमइ तितिक्खइ अहियासेइ । – આચારાંગ ૨,૧૫,૩૭ (ખ) જૂ નામની વા, સંવ તત્વ છે મહાવીરે ! पडिसेवमाणे करुसाई अचले भगव रीइत्वा ॥ – આચારાંગ ૧,૯,૩,૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy