SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન સંક્ષિપ્ત અને વિપુલ બને પ્રકારની તેજલેશ્યાઓ પ્રાપ્ત થાય છે. ૩૬ ગોશાલકે ભગવાનની વાતને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ભગવાને કેટલાક સમય પછી ત્યાંથી ફરીથી સિદ્ધાર્થપુરની તરફ પ્રયાણ કર્યું. તલના છેડના સ્થાન પર આવતાં જ ગોશાલકને ભૂતકાળની ઘટનાની યાદ આવી ગઈ. એણે કહ્યું –ભગવાન ! આપની એ ભવિષ્યવાણી અસત્ય ઠરી.” મહાવીરે કહ્યું “ નહીં, તે બીજા સ્થાને ઉગેલે તલને છેડ છે, તે એ જ છે કે જેને તે ઉખેડીને ફેંકી દીધે હતે. ગોશાલક શ્રદ્ધહીન હતું. તે તલના છોડ પાસે ગયા. અને તલની ફલી (શીંગ) તેડીને જોયું તે સાત જ તલ નીકળ્યા. પ્રસ્તુત ઘટનાથી ગશાલક નિયતિવાદ તરફ ખૂબ ઉંડાણમાં આકૃષ્ટ થઈ ગયે એની એ શ્રદ્ધા સુદઢ થઈ ગઈ કે “સર્વ જી મરીને ફરીથી પિતાની જ નિમાં ઉત્પન્ન થાય છે.” ત્યાંથી ગોશાલકે ભગવાનને સાથ છોડી દીધો. ને શ્રાવાતી ગયે અને “હાલાહલા” નામની કુંભારણની ભાંડશાલામાં રહીને મહાવીર દ્વારા બતાવવામાં આવેલી વિધિ અનુસાર તેલબ્ધિની એ સાધના કરવા લાગ્યું. યથા સમય એને એ સિદ્ધિ પ્રાપ્ત થઈ. ૩૬. (ક) ભગવતી ૧૫, ૭, પૃ. ૩૭૪ (ખ) મનવ મનડું – ને જે રાત્રિા | છદાં અળવિવેત્તે ત i आयोवेइ, पारणेए सनहाए कुम्मासपिडियाए एगेण य वियडासएण जावेइ जाव छम्मासा से सरिवत्तविउलतेउलेसे भवइ । –આવ. મલય. વૃત્તિ ૨૮૭ (ગ) ત્રિષષ્ટિ ૧૦. ૪, ૧૨૨-૧૨૪ (ધ) મહાવીર ચરિયં ૬, ૨૨૩ ૩૭. (ક) ભગવતી ૧૫, ૩, પૃ. ૩૭૪–૩૭૫ (ખ) આવ. મલય. વૃત્તિ ૨૮૭ (ગ) મહાવીર ચરિયું ગુણચન્દ્ર) ૬, ૨૨૩ (૧) ત્રિષષ્ટિ. ૧૦, ૪, ૧૨૬-૧૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy