SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ ભગવાન મહાવીર : એક અનુશીલન એણે કહ્યું-“દેવાર્ય ! તમે પણ બહાર ચાલે.” પરંતુ તેઓ મૌન હતા. ધ્યાનસ્થ હતા. ઇન્દ્રશર્માએ ફરીથી યક્ષના ભયંકર ઉત્પાતનું શિમાંચક વર્ણન કર્યું. તે પણ ભગવાન વિચલિત થયા નહીં અને તેઓ ત્યાં જ સ્થિત-સ્થિર રહ્યા. ઇન્દ્રશર્મા પછીથી ચાલ્યા ગયે.૪૪ દિનભરને થાકેલે સૂર્ય અસ્તાચલની ગેદમાં જઈને છૂપાઈ ગ. સંધ્યાનાં સોનેરી કિરણે પર અંધકારની કાળાશ પાછી ચડી ગઈ. ચારે બાજુ ગંભીર સન્નાટો છવાઈ ગયો. દૂર દૂર પણ માનવ અવાજ સંભળાતું ન હતું. ગહન અંધકારના રૂપમાં યક્ષાયતનની દીવાલોથી જાણે કે ભયને કાળે ધુમાડે નીકળીને વાતાવરણને અધિકાધિક વિભીષિકાપૂર્ણ બનાવી રહ્યો હતો. ત્યારે શૂલપાણિ યક્ષ પ્રગટ થયે. વીજળીની માફક ચમકતું ભયંકર ભૂલ એના હાથમાં હતું. એવું લાગતું હતું કે જાણે સાક્ષાત્ યમરાજ જ મૃત્યુને સંદેશ લઈને આવી રહ્યો ન હોય! રૌદ્રરસ દેહધારણ કરીને આ ગયે ન હોય. ને ભગવાનને સ્થિર ઊભેલા જોઈને કહ્યું, “મૃત્યુને ચાહનાર આ ગામના નિવાસીઓ અને દેવાર્થક દ્વારા નિષેધ કરવા છતાં પણ ન માન્ય. લાગે છે કે એને હજી સુધી મારા પ્રબલ પરાક્રમને પરિચય નથી.” પરાક્રમને પરિચય આપવા માટે એણે ભયંકર અટ્ટહાસ્ય કર્યું. યક્ષના અટ્ટહાસ્યને પ્રતિધ્વનિ શૂન્ય દિશાઓ સાથે ટકરાવા લાગ્યા. ઓહ હો! તારું શરીર તે અત્યંત સુંદર અને સુકુમાર છે એ તે અંધકારમાં પણ વીજળીની માફક ચમકી રહ્યું છે. યુવાન છે, પુરુષાથ પણ લાગે છે. તે પણ તું અહીં મરવા માટે કેમ આ છે ? શું જીવનથી ગભરાઈ ને? બહુ સારું થયું, આજ માનવને - ૪૬ (ક) સેવIT સુવિ નીદર, 1 ગળા ના મારિનહિ ! -મહાવીર ચરિયું ૫,૧૫૩ (ખ) ત્રિષષ્ટિ ૧૦,૩,૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy