SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ માતા-પિતાને સ્વર્ગવાસ ૩૬૧ અભિનિષ્ક્રમણ ત્રીસ વર્ષની અવસ્થા પાર કરીને મહાવીર સંપન્ન–પ્રતિજ્ઞ થયા. ત્યારે કાતિક દેવોએ આવીને પ્રાર્થના કરી–“હે ક્ષત્રિયવર વૃષભ ! આપને જય હે ! હવે આપ દીક્ષા ગ્રહણ કરે અને સમસ્ત પ્રાણીઓ માટે હિતકર ધર્મતીર્થનું પ્રવર્તન કરે.”૨૫ ભગવાન મહાવીરે પણ પિતાના મેટા–ભાઈ નન્દિવર્ધન અને કાકા સુપાર્શ્વ આદિ અભિભાવકે સમક્ષ દીક્ષા અંગેનો પિતાનો દઢ સંકલ્પ વ્યક્ત કર્યો. સર્વએ એમને અનુમોદન આપ્યું. નન્દિવર્ધનને અભિનિષ્કમણ મહોત્સવને પ્રારંભ કર્યો. આચારાંગર આદિ પ્રમાણે મહાવીરના અભિનિષ્ક્રમણને નિર્ણય જાણ ભવનપતિ, વાણવ્યન્તર, જતિષ અને વૈમાનિક દેવ-દેવીઓ પિતાની અદ્ધિ અને સમૃદ્ધિ સાથે આવ્યા. એમણે વૈક્રિયશક્તિથી સિંહાસનની રચના કરી. બધાએ મળી મહાવીરને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડ્યા. એમણે શત પાક અને સહસ્ત્રપાક તેલથી એમના શરીરે માલીસ કર્યું અને સ્વચ્છ જલથી એમને અભિષેક કર્યો. ગંધકષાય વચ્ચથી શરીર લૂછયું અને ગશીર્ષ ચંદનને લેપ કર્યો. વજનમાં હલકાં બહુમૂલ્ય વસ્ત્ર અને આભૂષણ પહેરાવ્યાં. મહાવીર આ બધા કાર્યથી પરવારી સુવિસ્તૃત અને સુસજિજત ચન્દ્રપ્રભાશિબિકામાં ૨૭ આરૂઢ થયા. મનુષ્ય, ઈન્દ્રો અને દેએ મળીને આ શિબિકા ઉઠાવી. રાજા નન્દિવર્ધન ગજારૂઢ થઈ ચતુરંગિણી સેના સાથે ભગવાન ૨૫. ઝાઝ વત્તિય વર વસમ ! વુક્સટિ મચવું ! सव्व जगज्जीव हिय अरह तित्थं पवतेहि ।। ૨૬. આચારાંગ ૨, ૧૫,૨૭-૨૮-૨૯ ૨૭. દિગંબર પરંપરામાં પણ શિવિકાનું નામ ચન્દ્રપ્રભા આપ્યું છે. જુઓ - चन्द्रप्रभाख्यशिविकामधिरूढा दृढव्रतः । –ઉત્તરપુરાણ ૭૪, ૨૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy