SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ભગવાન મહાવીર : એક અનુશીલન સાથે એની યુતિ પણ થઈ શકે છે. અમે પૂર્વે જણાવી ગયા છીએ કે સૂર્યાં ઉચ્ચના હોય તેા બુધ ઉચ્ચને હાઈ શકે નહી. જ્યારે ખુષ ઉચ્ચના હેાય ત્યારે સૂર્ય પોતાના સ્વગૃહની આસપાસ કે નીચસ્થ રાશિગત કે બુધની સાથે આવી શકે છે, એ દૃષ્ટિએ સ્પષ્ટ થાય છે કે બુધ પણ ઉચ્ચના ન હતા. સાત ગ્રહ ઉચ્ચના હાય તા તીર્થંકર ને છે' એ ટીકાકારના કથનને સત્ય માનીએ તે આપણે એ પણ માનવું પડે કે ૮ પ્રત્યેક તીર્થંકરના જન્મ કૃત્તિકા નક્ષત્રના અંતિમ ચરણમાં જ થાય છે.' પરંતુ આગમિક પ્રમાણેાના આધાર પર પ્રસ્તુત કથન અસત્ય કરે છે. કેમકે આગમ સાહિત્યમાં તીર્થંકરોનાં જન્મનક્ષત્ર જુદાં જુદાં હોવાનું જણાવ્યું છે. અને તે સાથે જન્મ માસ પણ જુદા જુદા છે. < કલ્પસૂત્રના મૂળમાં એ ઉલ્લેખ નથી કે એ વખતે બધા ગ્રહો ઉચ્ચના હતા યા પ્રત્યેક તીર્થંકરના જન્મ વખતે સર્વે ગ્રહે! ઉચ્ચના હાવાનું અનિવાર્ય છે. સૂત્રનું તાત્પર્ય એટલું જ છે કે જન્મ વખતે એકથી વધુ ગ્રહેા ઉચ્ચના હતા. વળી જો જોમ માનીએ કે મહુ વચન ’ના પ્રયાગ મધા ગ્રહે ઉચ્ચના હેાવાના સંકેત કરે છે તે એ સાધિકારપણે કહી શકાય કે ટીકાકારે ગ્રહો ઉચ્ચના હેાવાનું જે પ્રારુપ પ્રસ્તુત કર્યું છે તે કલ્પસૂત્રના દષ્ટિકાણથી ભિન્ન છે, સાત ગ્રહ ઉચ્ચના હાય ત્યારે તીર્થંકર બને છે. એ કથન યુક્તિયુક્ત નથી. સંભવ છે કે ટીકાકારનું આ અંગે અધ્યયન ન હોવાને કારણે એમણે ગતિકાનુ-ગતિનું અનુસરણ કર્યું હોય.૪ હાલ ભગવાન મહાવીરની જે કુંડલી અનેક ગ્રંથામાં ઉપલબ્ધ થાય છે, એમાં પણ સાત ગ્રહેા ઉચ્ચના ખતાવવામાં આવ્યા નથી. આ કુંડલી આ પ્રમાણે છે :~ ૪ જૈન ભારતી વર્ષ ૨૨, અંક ૩-૪ ભગવાન મહાવીરી જન્મ કુંડલી લેખક-મુનિ ચંદ્દન મલજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy