SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ કૃ૨૪ ભગવાન મહાવીર : એક અનુશીલન યન લખે છે કે ગુપ્તકાલમાં કનેજનું જ્યારે મહત્ત્વ વધ્યું ત્યારે અનેક જાતિઓએ પિતાની ટેવી બાંધવાની શરૂઆત કરી, એ વખતે કેટલાય ક્ષત્રિએ બ્રાહ્મણ જાતિમાં જવાનું પસંદ કર્યું. આ કારણે જ્ઞાતૃવંશના લેકેને આજ ભૂમિહાર બ્રાહ્મણના રૂપમાં ઓળખવામાં આવે છે.૮૨ જ્ઞાતૃવંશના લેકે વૈશાલી અને એની આસપાસ રહેતા હતા. એમાં ક્ષત્રિયકુંડગ્રામ, વાણિજ્યગાંવ અને કેલાસસન્નિવેશને સવિશેષ ઉલલેખ થયેલું છે. એમાં જે કુંડગ્રામ હતું, તે વિદ્વાનોના મત પ્રમાણે હાલનું વસુકુંડ છે. વૈશાલીમાં રાજ્યવ્યવસ્થા ગણતંત્રની હતી. અનેક ગણ મળીને એક પ્રમુખને ચૂંટે છે. મહાવીરના પિતા સિદ્ધાર્થને પ્રાચીન અવતરણમાં ક્ષત્રિય કહેવામાં આવ્યા છે. પછીથી રાજા પણ કહેવામાં આવ્યા છે. પંડિત માલવણિયાનું એ માનવું છે કે ગણ રાજ્યમાં એમનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું હશે. અન્યથા ગણના મુખી ચેટકની બહેનની સાથે સિદ્ધાર્થનાં લગ્ન કેવી રીતે સંભવિત થાય? વિદ્વાનનું એ અનુમાન છે કે ભગવાન મહાવીરને ધર્મપ્રચારમાં આ સંબંધીએને કારણે સરળતા પડી હશે, પણ આવું માનવું ભૂલ ભરેલું છે. એમને સાધના-કાળમાં કોઈનો સહકાર મળે ન હતો. તપ અને ત્યાગના પ્રવાહથી જ જનતા એમના પ્રત્યે આકર્ષિત થઈ હતી. નાત” અને “ના” આચાર્ય અભયદેવે ઔપપાતિકની વૃત્તિમાં “નાયરને અર્થે નાગ પણ કર્યો છે.૮૪ વળી આગળ વધીને એમણે પ્રસ્તુત આગમમાં ૨૭ માં ૮૨ ક) પુરાતત્ત્વનિબંધાવલી પૃ. ૧૧૧ (ખ) વર્ધમાન મહાવીર પૃ. ૯૩ ૮૩ આ વસુકુંડ આજે તિરહુત જિલ્લામાં આવેલું જણાવવામાં આવે છે. આ તિરહુતનું પ્રાચીન નામ “તીરભુકિત” હતું. ८४ उग्गपब्वइया, भोगपव्वइया, राइण्णनापकारवखत्तियपव्वइया-ज्ञाताः इक्ष्वाकुवंश વિરોષમતા, ના. વા નાવરાપ્રસૂતા | ઔપપાતિક વૃત્તિ પત્ર ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy