SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિશલાના ગર્ભમાં ૨૯૭ અને દિગંબર પરંપરાના આચાર્ય જિનસેને આદિપુરાણમાં એ માન્યતાને અભિવ્યક્તિ આપી છે કે પ્રત્યેક તીર્થંકરના ગર્ભવતરણના છે માસ પૂર્વેથી જ દેવગણ તીર્થંકરના માતા-પિતાના રાજપ્રાસાદ પર રત્નની વૃષ્ટિ કરવાનું શરૂ કરી દે છે. દેહદ ગર્ભના પ્રભાવથી માતા ત્રિશલાને દિવ્ય દેહદ ઉત્પન્ન થયો ૨૭ હું મારા હાથે દાન આપું, સરુઓને આહાર વગેરે પ્રદાન કરું, દેશમાં આનંદ ઢેલક બજવાવું, કેદીઓને કારાગૃહથી મુક્ત કરાવું, સમુદ્ર, ચંદ્ર અને પીયૂષનું પાન કરું, ઉત્તમ પ્રકારનાં ભેજન કરું, આભૂષણ ધારણ કરું, સિંહાસન પર બેસીને શાસનનું સંચાલન કરું અને હાથી પર બેસી ઉદ્યાન વગેરેમાં પરિભ્રમણ કરું. રાજા સિદ્ધાર્થે રાણીના બધા દેહદ પૂરા કર્યા. કલ્પસૂત્રની કલ્પલતા વૃત્તિ પ્રમાણે ત્રિશલા રાણીને એક વિચિત્ર દેહદ ઉત્પન્ન થયે. હું ઈંદ્રાણીના કાનનાં કુંડલ-યુગલ ઝૂંટવીને પહેરું પરંતુ એવું બનવું સર્વથા અસંભવિત હતું એટલે તે ખિન્ન રહેવા લાગી. એકાએક ઈદ્રનું આસન ડોલવા લાગ્યું. પિતાના અવધિજ્ઞાનના બલથી એણે આ સર્વ જાણું લીધું. એને પૂર્ણ કરવા માટે એણે ઈન્દ્રાણી વગેરે અપ્સરાઓ સાથે લઈને એક દુર્ગમ પર્વતના અન્તર્વર્તી વિષમ સ્થાનમાં દિવ્ય દેવનગરનું નિર્માણ કર્યું. અને ત્યાં રહેવા લાગ્યું. રાજા સિદ્ધાર્થ એની જાણ થતાં તે સસૈન્ય ઈન્દ્રની પાસે આવ્યા અને કુંડલિની યાચના કરી. ઈન્ડે એ આપવાને ઇન્કાર કર્યો. બન્ને વચ્ચે २१ षड्भिर्मासैरथैतस्मिन् स्वर्गादवतरिष्यति । रत्नवृष्टि दिनो देवाः पातयामासुरादरात् ।। -આદિપુરાણુ ૧૨, ૮૪ ૨૭ ક૯પસૂત્ર-સૂત્ર ૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy