SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ભગવાન મહાવીર ઃ એક અનુશીલન એએ વૈશાલીથી ગંગા નદી સુધીના માર્ગ તરણ વગેરેથી સજા હત.૨૬ મગધની ઉત્તરે અને ગંગાના આ કિનારાની બાજુએ વજિજએનું રાજ્ય હતું (મુખ્ય નગર–વૈશાલી) અને એની ઉત્તરની બાજુએ મલ વસતા હતા. ૨૭ લિચ્છવી–વંશની સમૃદ્ધિયુક્ત રાજધાની વૈશાલી (બિહારના મુજફરપુર જિલ્લામાં સ્થિત, વર્તમાન સમયમાં વૈશાલી જિલ્લામાં વસાઢ) નગર પ્રારંભના દિવસોમાં બૌદ્ધધર્મને દુર્ગ હતું. ૨૦ તથાગત બુદ્ધના સમયમાં વૈશાલી ગંગાથી ત્રણ જન (૨૪ માઈલ) દૂર હતું. બુદ્ધ ત્રણ દિવસમાં ગંગાના કિનારાથી વૈશાલી પહોંચ્યા હતા. ૨૯ ક્યાંગસેને ગંગાથી વૈશાલીનું અંતર ૧૩૫ લી૩૧ (૨૭ માઈલ) હોવાનું લખ્યું છે. હાલ મુજફર જિલ્લામાં આવેલ વસાઢ ગામ કે જે પટણાથી સત્તાવીસ માઈલ અને હાજીપુરથી વીસ માઈલ ઉત્તરમાં છે, તે પ્રાચીન વૈશાલી હતું અને વસાઢની નજીકમાં વાસકુંડ સ્થાન છે એનું જ પ્રાચીન નામ કુડપુર છે. જે ભગવાન મહાવીરનું જન્મસ્થાન છે.૩૨ મહાનિશ્વાન–સુતમાં બુદ્ધની અંતિમ યાત્રાનું વર્ણન આપવામાં આવ્યું છે. એમાં કુડપુર (ક્ષત્રિયકુંડ) અથવા નાતિક વજી (વિદેહ) ૨૬ જાફી ઑફ અર્લી બુદ્ધિજમ પૃ. ૧૦ ૨૭ ,, ૨૮ ૨૫૦૦ ઈયર્સ ફ બુદ્ધિજમ પૂ. ૩૨૦ ૨૯ ડિકશનરી ઑફ પાલી પ્રોપરનેમ્સ ભાગ ૨ પૃ. ૯૪૧ ૩૦ “લો' અંતર માપવાનું એક માપ છે. કનિંઘમ પ્રમાણે ૧ લી બરાબર ૧૫ માઈલ થાય છે. ૩૧ એસિયન્ટ ગ્રાફિ ઇન્ડિયા-કનિંથમ પૂ. ૬૫૪ ૩૨ શ્રમણ ભ. મહાવીર ઔર તીર્થ કર મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy