SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના પૂર્વભવ પારંગત બનશે. ઇષભદત્ત દ્વારા કરાયેલ સ્વપ્નફલ સાંભળી દેવાનંદા અત્યંત આનંદ પામી. મહાવીરના ગર્ભવતરણની ઘટના જ્યારે કેન્દ્રને એ સમયે જ્ઞાત થઈ ત્યારે એને વિચાર આવે – તીર્થકર, ચકવર્તી, બલદેવ, વાસુદેવ આદિ શુદ્ર, અધમ, તુચ્છ, અપકૌટુબિંક નિધન, કૃપણ, ભિક્ષુક યા બ્રાહ્મણકુલમાં અવતરિત થતા નથી, તેઓ તે રાજન્યકુલમાં જ્ઞાત, ક્ષત્રિય, ઈક્વાકુ, હરિ વગેરે વંશમાં જ અવતરિત થાય છે. કેન્દ્ર તે સમયે હરિશૈગમેષી દેવને બાલાવ્યા અને ગર્ભપરિવર્તનને આદેશ આપે છે - મરીચિના ભવમાં જાતિ તથા કુલની શ્રેષ્ઠતાના દરૂપ જે સાપ ડચ્ચે હિતે, એનું વિષ હજી ઊતર્યું ન હતું, એના ફલસ્વરૂપે એમને દેવાનંદના ગર્ભમાં આવવું પડ્યું અને પાસી રાત્રિ સુધી આ ગર્ભમાં રહ્યા. ત્યાસીમી રાત્રિએ હરિëગમેષ દેવે દેવાનંદાની કુક્ષિમાંથી સંહરણ કરીને એમને ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પ્રસ્થાપિત કર્યા. આ સમયે પણ મહાવીર ત્રણ જ્ઞાનના ધારક હતા. સંહરણ પૂર્વે એમને એ જ્ઞાન હતું કે આ પ્રમાણે થઈ રહ્યું છે. સંહરણ પછી પણ એમને હતું કે આવું થઈ ગયું છે અને સંહરણ થઈ રહ્યું છે. એ પણ જ્ઞાન હતું કે ચૈત્ર સુદી તેરસના દિવસે એમનો જન્મ થયે. એમના તેજસ્વી વ્યક્તિત્વ અને મંગલકારી કૃતિત્વનો પરિચય આગળના અધ્યાયમાં પ્રસ્તુત કર્યો છે. પૂર્વભવઃ એક તુલના ઉત્તરપુરાણ વગેરે દિગબર ગ્રંથે પ્રમાણે મહાવીરને જીવ દેવલકથી મૃત થઈને ત્રિશલાની કુક્ષિમાં જ આવે છે. ગર્ભ – સિંહરણની ઘટના એમાં પ્રાપ્ત થતી નથી. ૬૬ ક૯૫સૂત્ર, સૂત્ર ૪ થી ૯ ૬૭ કલ્પસૂત્ર ૧૩-૧૭ ૬૮ ક૯૫સૂત્ર ૨૫ ૬૯ (ક) ક૯પસૂત્ર ૨૭ (ખ) સમવાયાંગ ૮૩, પત્ર. ૮૩–૨ (ગ) સ્થાનાંગ ૨,૫ ૭૦ ઉત્તરપુરાણ ૭૪, ૨૫૩-૨૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy