SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધમનાયક વ્યવસ્થા અને વર્ણાશ્રમ વ્યવસ્થા શિથિલ થવા લાગી, પરિણામે કુટુંબ વ્યવસ્થા અને વર્ણાશ્રમ વ્યવસ્થા પર આધારિત એવા વૈદિક સમાજમાં એક પ્રકારને સક્ષેાભ ઉત્પન્ન થયા. આ પ્રવૃત્તિને રોકવા તે સમયે વૈદિક પરંપરામાં એક પ્રતિક્રિયા થઈ, જે અંગેના ઉલ્લેખ આપણને એમનાં ધર્મ શાસ્ત્રા અને મહાકાળ્યા-રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે. આ રીતના સંન્યાસગ્રહણને રાકવા અને વર્ણાશ્રમને દેઢ કરવાનું પ્રયાજન મનુસ્મૃતિમાં સ્પષ્ટપણે જોવા મળે છે. એમાં વર્ણ અને આશ્રમની ઉપચાગિતા અને એનાં કબ્સેની મર્યાદા પુનઃ વિસ્તારથી સ્પષ્ટ કરવામાં આવી છે. અને એના પરિપાલન પર ભાર મૂકવામાં આવ્યે છે.૪૧ વળી શ્રમણપ્રવૃત્તિ અટકાવવા માટે એ નિયમ ઘડવામાં આવ્યે કે બ્રહ્મચય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમેાનું પાલન ક્રમશઃ કરવું જોઈ એ. અભ્યાસ પૂર્ણ કર્યો પછી ગૃહસ્થ ધમ અંગીકાર કરવાને બદલે સંન્યાસ ગ્રહણ કરવાના વલણને અસામાજિક લેખવામાં આવ્યું. બુદ્ધની વૈદિક પરંપરાની ટીકાનું મુખ્ય લક્ષ્ય બ્રાહ્મણા અન્યા હતા, કે જેઓને એ પરંપરામાં બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું હતુ. પણ તે સાથે એમને ઊચી જીવનપ્રલાણીના આદેશ આપવામાં આવ્યે. તે અંગે તેઓ શિથિલ બન્યા હતા. બ્રાહ્મણેાની જેમ ક્ષત્રિયા અને વૈશ્ર્ચા પણ પેાતાના કર્તવ્યપાલન અને આચારમાં શિથિલ બન્યા હતા. એટલે જ વૈદિક પરંપરામાં રાજધ’ના શીક નીચે ક્ષત્રિયાને એમની રાજ્ય, પ્રજા, ઈશ્વર અને બ્રાહ્મણ પ્રત્યેની ફરજ અંગે અને વર્ણાશ્રમ ધર્મોનું ક્રમશઃ પાલન થાય તે જોવાની જવાખદારી અંગે સભાન થવાને જોવા મળે છે. મહાભારતમાં પ્રકરણા પર છે કે જેમાં યુધિષ્ઠિરને ન્યાય સ્થાપન અર્થે ૪૧ મનુસ્મૃતિ અધ્યાય ૨,૪, Jain Education International ૧૫૧ આદેશ આપતું નિરૂપણ પ્રકરણેામાં એ જોવા મળે એ ધર્મયુદ્ધ જીત્યા પછી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy